Monday, July 3, 2023

 મણિપુરમાં અજંપો અને જાતિઓ વચ્ચે ટકરાવ

કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ @ બહુમતી મૈતેઈ વિરુદ્ધ કુકીના હિંસક ખેલ @ ડબલ એન્જિનની સરકારની ય નિષ્ફળતા @ મોદી મૂકપ્રેક્ષક, રાહુલ શાંતિ મિશન પર
Dr.Hari Desai writes weekly column for Mumbai Samachar’s Sunday Supplement UTSAV.2 July,2023
છેલ્લા બે મહિનાથી ઇશાન ભારતના સીમાપ્રદેશના સંવેદનશીલ રાજ્ય મણિપુરમાં રાજધાની ઇમ્ફાલ વેલીમાં વસતી બહુમતી અને શાસક મૈતેઈ પ્રજા અને પહાડો-જંગલોમાં વસતી કુકી પ્રજા વચ્ચે હિંસક અથડામણોમાં અનેક લોકો માર્યા ગયા છે.અહીંના મહારાજા બોધચન્દ્ર સિંહ પણ મૈતેઈ જાતિના જ હતા અને અત્યારના “મહારાજા” લેઇશમ્બા સારાજાઓબા ભાજપના રાજ્યસભાના સભ્ય છે. મ્યાનમાર સાથે સરહદ ધરાવતા આ ભારતીય રાજ્યની દેશમાં ઉત્તરે નાગાલેંડ અને આસામ તેમ જ દક્ષિણે મિઝોરમ રાજ્યની સરહદ છે. મૃતકોનો સત્તાવાર આંકડો પણ ૧૩૨ને વટાવી ગયો છે. ૫૦,૦૦૦ જેટલાં લોકો રાહત છાવણીમાં રહેવા મજબૂર બન્યાં છે. મુદ્દો આદિવાસી તરીકે ગણાવવા માટેની બહુમતી મૈતેઈ પ્રજાની માંગ અને એને હાઇકોર્ટે માન્ય કરવાની દિશામાં ચુકાદો આપ્યા સામે આદિવાસી દરજ્જો ધરાવતી કુકી પ્રજાને પોતાનાં હિત જોખમાતાં લાગવાનો છે. મૈતેઈ જાતિ મહદઅંશે હિંદુ છે અને કુકી ખ્રિસ્તી છે.માત્ર ૮% મૈતેઈ મુસ્લિમ છે પરંતુ અહીંના સંઘર્ષને હિંદુ વિરુદ્ધ ખ્રિસ્તી ગણાવવામાં સત્તાધીશોની પણ સક્રિયતા હોવાનું જણાવાય છે. વર્તમાન ઘટનાક્રમમાં બંને બાજુની ખુવારી છતાં કુકી વધુ પ્રમાણમાં માર્યા ગયાના અહેવાલો મળે છે.કુકી અને મિઝો અને નાગા પ્રજા મહદઅંશે ખ્રિસ્તી ધર્મ પાળે છે. એમની વચ્ચે સંધાણ પણ છે છતાં સદનસીબે હજુ વર્તમાન સંઘર્ષમાં મિઝો કે નાગા બળવાખોરો સામેલ થયા નથી. ભાજપે ચૂંટણી જીતવા માટે કોની સાથે કેવાં સમાધાનો કર્યાં છે એ પણ મણિપુરમાં ચર્ચાનો મુદ્દો છે. ૬૦ સભ્યોની ધારાસભામાં ભાજપના ૩૭માંથી ૧૦ ધારાસભ્યો અલગ કુકીલેન્ડની માંગણી કરી રહ્યા છે. ખોબલા જેવડા મણિપુરમાંથી વધુ એક રાજ્યની રચનાની માંગણી કરવામાં આવે એ અત્યારે તો સત્તાધીશો સ્વીકારવા તૈયાર નથી.જોકે વિધાનસભામાં ૬૦ સભ્યોમાંથી ૫૪ સરકારના ટેકામાં છે. વિપક્ષમાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઈબોબી સિંહ તથા મણિપુર કોંગ્રેસના અધ્યક્ષ કેશમ મેઘચન્દ્ર સિંહ (બંને મૈતેઈ જાતિના) સહિત કોંગ્રેસના ૫ (પાંચ) અને એક જનતાદળ (યુ)ના સભ્ય છે. વળી, મિઝોરમના નેતાઓ મણિપુરના કુકી પ્રદેશને સમાવીને બૃહદ મિઝોરમ રચવાની માંગણી પણ કરતા રહ્યા છે. મિઝો પ્રજા સાથે કુકી પ્રજાને નિકટનો વાંશિક સંબંધ છે. બૃહદ નાગાલેન્ડ કે ગ્રેટર નાગાલિમની માંગણી તો ઊભી જ છે. ઇશાન ભારતને ‘હેન્ડલ વિથ કેઅર’ કરવાની જરૂર છે. મણિપુર રાજ્યના માત્ર બે મુખ્યમંત્રી સિવાયના તમામ સર્વપક્ષી મુખ્યમંત્રી મૈતેઈ જાતિમાંથી આવે છે. તમામ ક્ષેત્રોમાં તેમનું આધિપત્ય છે. ઇશાન ભારતનાં સિક્કિમ સહિતનાં આઠેય રાજ્યોમાં ભાજપ કે ભાજપના મિત્રપક્ષોના નેતૃત્વવાળી સરકારો છે, પરંતુ ભાજપનાં તમામ મુખ્યમંત્રી અને મિત્રપક્ષના તમામ મુખ્યમંત્રી મૂળ કોંગ્રેસી જ રહ્યા છે. પક્ષપલટા કરાવીને અહીંનાં રાજ્યોમાં સરકારો રચવામાં ભાજપને સફળતા મળવા પાછળ કેન્દ્ર સરકાર નિયુક્ત રાજ્યપાલોનો સહયોગ ઘણો મળતો રહ્યો છે. ક્યારેક ભાજપના નેતા અને પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ આડવાણી કહેતા રહ્યા છે તેમ ભાજપનું કોંગ્રેસીકરણ જોવા મળે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાઓ ક્યારે ઘરવાપસી કરે એ કહેવાય નહીં. હવે તો કર્ણાટક, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં તો જૂના સંઘી-જનસંઘી એવા વરિષ્ઠ ભાજપી નેતાઓ કોંગ્રેસ ભણી વળવા માંડ્યા છે એટલે દિલ્હીશ્વરની ચિંતા વધવી સ્વાભાવિક છે.
વડાપ્રધાન મ.પ્ર.માં વ્યસ્ત
રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે. ડબલ એન્જિનની સરકાર હોવા છતાં હિંસક અથડામણો રોકવામાં સફળતા મળી નથી. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ મણિપુરની મુલાકાતે જઈ આવ્યા, દિલ્હીમાં પણ એમણે બેઠકો બોલાવી, લશ્કર ખડકી દેવામાં આવ્યું છે છતાં હિંસક અથડામણો રોકાવાનું નામ લેતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા-ઈજિપ્તના પ્રવાસે જાય એ પહેલાં અને પછી પણ મણિપુર વિશે રહસ્યમય મૌન સેવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અનેક અવરોધની વચ્ચે પણ મણિપુરની ૨૯-30 જૂનની બે દિવસની મુલાકાતે જઈને રાહતછાવણીઓની મુલાકાત લેવા ઉપરાંત શાંતિની અપીલ કરતા રહ્યા. એમણે પોતે રાજકારણ ખેલવા આવ્યા નહીં હોવાનું ભારપૂર્વક સ્પષ્ટ કર્યું હતું. રાજ્યપાલ અનસૂયા ઉઈકેને મળીને પણ તેમણે અસરગ્રસ્તોને રાહતછાવણીઓમાં જરૂરી સુવિધા મળે એ માટે રજૂઆત કરી. સિવિલ સોસાયટીના લોકોને પણ એ મળ્યા. એ પછી મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહે રાજનામું આપવા સંદર્ભે નાટકીય ઘટનાક્રમ આદર્યો. પક્ષમાં એમના વિરોધી રાજીનામું માંગે છે. એ રાજીનામું આપવા તૈયાર પણ થયા.એમ છતાં, એમના સમર્થકોના આગ્રહથી રાજીનામું આપવાનું માંડી વાળ્યું. રાજ્યપાલ ઉઈકેએ 30 જૂને શાંતિની અપીલ કરી છે, પરંતુ દિલ્હીથી આ દિશામાં સર્વોચ્ચ થકી હજુ મૂકપ્રેક્ષકની ભૂમિકા બધાને માટે અકળામણ સર્જે છે. વડાપ્રધાન અમેરિકાના પ્રવાસે જતાં પહેલાં પોતાના પક્ષના મણિપુરી ધારાસભ્યોને મુલાકાત આપતા નથી અને પાછા ફરીને મધ્યપ્રદેશના પ્રવાસે જઈને ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલાં આ વર્ષે આવી રહેલી વિધાનસભા ચૂંટણીમાં કર્ણાટક જેવી નાલેશી વહોરવી ના પડે એટલા માટે ભોપાલ અને શહડોલમાં જાહેર સભાઓ યોજીને વિધાનસભાની ચૂંટણી સાથે જ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીનો ય એજન્ડા ગોઠવી રહ્યા છે.
નેતાજી બોઝ અને મણિપુર
વર્ષ ૧૯૪૪માં નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજ (આઈએનએ) બર્મા (અત્યારનું મ્યાનમાર) સરહદેથી બ્રિટિશ લશ્કરી દળો સામે લડતાં લડતાં મણિપુરના અત્યારના બિષ્ણુપુર જિલ્લાના મોઈરંગ ખાતે પહોંચી કર્નલ શૌકત હયાત મલિકે ભારતનો ધ્વજ ફરકાવ્યો હતો. ઇમ્ફાલમાં આજે પણ નેતાજીનું સંગ્રહાલય છે. આ ગૌરવવંતા ઇતિહાસની આ ભૂમિમાં અત્યારે જે ચાલી રહ્યું છે એ નેતાજીના આત્માને કણસાવે એવું છે. નેતાજીએ તમામ ધર્મોના સાથીઓને સામેલ કરીને અંગ્રેજો સામે જયારે જંગ છેડ્યો ત્યારે જાપાને એમને સમર્થન આપ્યું હતું, પરંતુ પાછળથી જાપાની લશ્કરે સહયોગ આપવાને બદલે પરત જવાના આદેશનું પાલન કરવાનું હતું ત્યારે પણ નેતાજીએ ટાંચાં સાધનો અને ખુમારીવાળા સ્વાતંત્ર્ય સૈનિકોના ટેકે લડવાનું ચાલુ રાખ્યું હતું. આંદામાન-નિકોબાર પર પણ એમણે કબજો મેળવ્યો હતો, પરંતુ ભારતીય ગદ્દારોના ટેકે બ્રિટિશ લશ્કર નેતાજીની દિલ્હી તરફની કૂચને વિફળ બનાવી હતી. ૭૯ વર્ષ પછી નેતાજીનું સ્મરણ કરાય છે, એમના જન્મદિવસને મનાવાય છે, એમની પ્રતિમાઓ સ્થાપિત થાય છે; પરંતુ નેતાજી બોઝની ફિલસૂફીને આચરણમાં લાવવાને બદલે કમનસીબે રાજકીય લાભ ખાટવા માટે જાતિઓ અને ધર્મો વચ્ચે વિખવાદો પેદા કરીને ય મતનાં તરભાણાં ભરવાના દાવપેચ ખેલાય છે.
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧ જુલાઈ,૨૦૨૩)

Manipur, PM and Rahul Gandhi

 મણિપુરમાં અજંપો અને જાતિઓ વચ્ચે ટકરાવ

કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ @ બહુમતી મૈતેઈ વિરુદ્ધ કુકીના હિંસક ખેલ @ ડબલ એન્જિનની સરકારની ય નિષ્ફળતા @ મોદી મૂકપ્રેક્ષક, રાહુલ શાંતિ મિશન પર
Dr.Hari Desai writes weekly column for Mumbai Samachar’s Sunday Supplement UTSAV.2 July,2023
છેલ્લા બે મહિનાથી ઇશાન ભારતના સીમાપ્રદેશના સંવેદનશીલ રાજ્ય મણિપુરમાં રાજધાની ઇમ્ફાલ વેલીમાં વસતી બહુમતી અને શાસક મૈતેઈ પ્રજા અને પહાડો-જંગલોમાં વસતી કુકી પ્રજા વચ્ચે હિંસક અથડામણોમાં અનેક લોકો માર્યા ગયા છે.અહીંના મહારાજા બોધચન્દ્ર સિંહ પણ મૈતેઈ જાતિના જ હતા અને અત્યારના “મહારાજા” લેઇશમ્બા સારાજાઓબા ભાજપના રાજ્યસભાના સભ્ય છે. મ્યાનમાર સાથે સરહદ ધરાવતા આ ભારતીય રાજ્યની દેશમાં ઉત્તરે નાગાલેંડ અને આસામ તેમ જ દક્ષિણે મિઝોરમ રાજ્યની સરહદ છે. મૃતકોનો સત્તાવાર આંકડો પણ ૧૩૨ને વટાવી ગયો છે. ૫૦,૦૦૦ જેટલાં લોકો રાહત છાવણીમાં રહેવા મજબૂર બન્યાં છે. મુદ્દો આદિવાસી તરીકે ગણાવવા માટેની બહુમતી મૈતેઈ પ્રજાની માંગ અને એને હાઇકોર્ટે માન્ય કરવાની દિશામાં ચુકાદો આપ્યા સામે આદિવાસી દરજ્જો ધરાવતી કુકી પ્રજાને પોતાનાં હિત જોખમાતાં લાગવાનો છે. મૈતેઈ જાતિ મહદઅંશે હિંદુ છે અને કુકી ખ્રિસ્તી છે.માત્ર ૮% મૈતેઈ મુસ્લિમ છે પરંતુ અહીંના સંઘર્ષને હિંદુ વિરુદ્ધ ખ્રિસ્તી ગણાવવામાં સત્તાધીશોની પણ સક્રિયતા હોવાનું જણાવાય છે. વર્તમાન ઘટનાક્રમમાં બંને બાજુની ખુવારી છતાં કુકી વધુ પ્રમાણમાં માર્યા ગયાના અહેવાલો મળે છે.કુકી અને મિઝો અને નાગા પ્રજા મહદઅંશે ખ્રિસ્તી ધર્મ પાળે છે. એમની વચ્ચે સંધાણ પણ છે છતાં સદનસીબે હજુ વર્તમાન સંઘર્ષમાં મિઝો કે નાગા બળવાખોરો સામેલ થયા નથી. ભાજપે ચૂંટણી જીતવા માટે કોની સાથે કેવાં સમાધાનો કર્યાં છે એ પણ મણિપુરમાં ચર્ચાનો મુદ્દો છે. ૬૦ સભ્યોની ધારાસભામાં ભાજપના ૩૭માંથી ૧૦ ધારાસભ્યો અલગ કુકીલેન્ડની માંગણી કરી રહ્યા છે. ખોબલા જેવડા મણિપુરમાંથી વધુ એક રાજ્યની રચનાની માંગણી કરવામાં આવે એ અત્યારે તો સત્તાધીશો સ્વીકારવા તૈયાર નથી.જોકે વિધાનસભામાં ૬૦ સભ્યોમાંથી ૫૪ સરકારના ટેકામાં છે. વિપક્ષમાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઈબોબી સિંહ તથા મણિપુર કોંગ્રેસના અધ્યક્ષ કેશમ મેઘચન્દ્ર સિંહ (બંને મૈતેઈ જાતિના) સહિત કોંગ્રેસના ૫ (પાંચ) અને એક જનતાદળ (યુ)ના સભ્ય છે. વળી, મિઝોરમના નેતાઓ મણિપુરના કુકી પ્રદેશને સમાવીને બૃહદ મિઝોરમ રચવાની માંગણી પણ કરતા રહ્યા છે. મિઝો પ્રજા સાથે કુકી પ્રજાને નિકટનો વાંશિક સંબંધ છે. બૃહદ નાગાલેન્ડ કે ગ્રેટર નાગાલિમની માંગણી તો ઊભી જ છે. ઇશાન ભારતને ‘હેન્ડલ વિથ કેઅર’ કરવાની જરૂર છે. મણિપુર રાજ્યના માત્ર બે મુખ્યમંત્રી સિવાયના તમામ સર્વપક્ષી મુખ્યમંત્રી મૈતેઈ જાતિમાંથી આવે છે. તમામ ક્ષેત્રોમાં તેમનું આધિપત્ય છે. ઇશાન ભારતનાં સિક્કિમ સહિતનાં આઠેય રાજ્યોમાં ભાજપ કે ભાજપના મિત્રપક્ષોના નેતૃત્વવાળી સરકારો છે, પરંતુ ભાજપનાં તમામ મુખ્યમંત્રી અને મિત્રપક્ષના તમામ મુખ્યમંત્રી મૂળ કોંગ્રેસી જ રહ્યા છે. પક્ષપલટા કરાવીને અહીંનાં રાજ્યોમાં સરકારો રચવામાં ભાજપને સફળતા મળવા પાછળ કેન્દ્ર સરકાર નિયુક્ત રાજ્યપાલોનો સહયોગ ઘણો મળતો રહ્યો છે. ક્યારેક ભાજપના નેતા અને પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ આડવાણી કહેતા રહ્યા છે તેમ ભાજપનું કોંગ્રેસીકરણ જોવા મળે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાઓ ક્યારે ઘરવાપસી કરે એ કહેવાય નહીં. હવે તો કર્ણાટક, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં તો જૂના સંઘી-જનસંઘી એવા વરિષ્ઠ ભાજપી નેતાઓ કોંગ્રેસ ભણી વળવા માંડ્યા છે એટલે દિલ્હીશ્વરની ચિંતા વધવી સ્વાભાવિક છે.
વડાપ્રધાન મ.પ્ર.માં વ્યસ્ત
રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે. ડબલ એન્જિનની સરકાર હોવા છતાં હિંસક અથડામણો રોકવામાં સફળતા મળી નથી. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ મણિપુરની મુલાકાતે જઈ આવ્યા, દિલ્હીમાં પણ એમણે બેઠકો બોલાવી, લશ્કર ખડકી દેવામાં આવ્યું છે છતાં હિંસક અથડામણો રોકાવાનું નામ લેતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા-ઈજિપ્તના પ્રવાસે જાય એ પહેલાં અને પછી પણ મણિપુર વિશે રહસ્યમય મૌન સેવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અનેક અવરોધની વચ્ચે પણ મણિપુરની ૨૯-30 જૂનની બે દિવસની મુલાકાતે જઈને રાહતછાવણીઓની મુલાકાત લેવા ઉપરાંત શાંતિની અપીલ કરતા રહ્યા. એમણે પોતે રાજકારણ ખેલવા આવ્યા નહીં હોવાનું ભારપૂર્વક સ્પષ્ટ કર્યું હતું. રાજ્યપાલ અનસૂયા ઉઈકેને મળીને પણ તેમણે અસરગ્રસ્તોને રાહતછાવણીઓમાં જરૂરી સુવિધા મળે એ માટે રજૂઆત કરી. સિવિલ સોસાયટીના લોકોને પણ એ મળ્યા. એ પછી મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહે રાજનામું આપવા સંદર્ભે નાટકીય ઘટનાક્રમ આદર્યો. પક્ષમાં એમના વિરોધી રાજીનામું માંગે છે. એ રાજીનામું આપવા તૈયાર પણ થયા.એમ છતાં, એમના સમર્થકોના આગ્રહથી રાજીનામું આપવાનું માંડી વાળ્યું. રાજ્યપાલ ઉઈકેએ 30 જૂને શાંતિની અપીલ કરી છે, પરંતુ દિલ્હીથી આ દિશામાં સર્વોચ્ચ થકી હજુ મૂકપ્રેક્ષકની ભૂમિકા બધાને માટે અકળામણ સર્જે છે. વડાપ્રધાન અમેરિકાના પ્રવાસે જતાં પહેલાં પોતાના પક્ષના મણિપુરી ધારાસભ્યોને મુલાકાત આપતા નથી અને પાછા ફરીને મધ્યપ્રદેશના પ્રવાસે જઈને ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલાં આ વર્ષે આવી રહેલી વિધાનસભા ચૂંટણીમાં કર્ણાટક જેવી નાલેશી વહોરવી ના પડે એટલા માટે ભોપાલ અને શહડોલમાં જાહેર સભાઓ યોજીને વિધાનસભાની ચૂંટણી સાથે જ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીનો ય એજન્ડા ગોઠવી રહ્યા છે.
નેતાજી બોઝ અને મણિપુર
વર્ષ ૧૯૪૪માં નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજ (આઈએનએ) બર્મા (અત્યારનું મ્યાનમાર) સરહદેથી બ્રિટિશ લશ્કરી દળો સામે લડતાં લડતાં મણિપુરના અત્યારના બિષ્ણુપુર જિલ્લાના મોઈરંગ ખાતે પહોંચી કર્નલ શૌકત હયાત મલિકે ભારતનો ધ્વજ ફરકાવ્યો હતો. ઇમ્ફાલમાં આજે પણ નેતાજીનું સંગ્રહાલય છે. આ ગૌરવવંતા ઇતિહાસની આ ભૂમિમાં અત્યારે જે ચાલી રહ્યું છે એ નેતાજીના આત્માને કણસાવે એવું છે. નેતાજીએ તમામ ધર્મોના સાથીઓને સામેલ કરીને અંગ્રેજો સામે જયારે જંગ છેડ્યો ત્યારે જાપાને એમને સમર્થન આપ્યું હતું, પરંતુ પાછળથી જાપાની લશ્કરે સહયોગ આપવાને બદલે પરત જવાના આદેશનું પાલન કરવાનું હતું ત્યારે પણ નેતાજીએ ટાંચાં સાધનો અને ખુમારીવાળા સ્વાતંત્ર્ય સૈનિકોના ટેકે લડવાનું ચાલુ રાખ્યું હતું. આંદામાન-નિકોબાર પર પણ એમણે કબજો મેળવ્યો હતો, પરંતુ ભારતીય ગદ્દારોના ટેકે બ્રિટિશ લશ્કર નેતાજીની દિલ્હી તરફની કૂચને વિફળ બનાવી હતી. ૭૯ વર્ષ પછી નેતાજીનું સ્મરણ કરાય છે, એમના જન્મદિવસને મનાવાય છે, એમની પ્રતિમાઓ સ્થાપિત થાય છે; પરંતુ નેતાજી બોઝની ફિલસૂફીને આચરણમાં લાવવાને બદલે કમનસીબે રાજકીય લાભ ખાટવા માટે જાતિઓ અને ધર્મો વચ્ચે વિખવાદો પેદા કરીને ય મતનાં તરભાણાં ભરવાના દાવપેચ ખેલાય છે.
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧ જુલાઈ,૨૦૨૩)

Thursday, June 29, 2023

 

દાયકામાં વર્ષ ૨૦૨૨માં સૌથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી

અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ

·         છેલ્લાં ૧૨ વર્ષમાં નાગરિકતા છોડવાનું પ્રમાણ વધતું ચાલ્યું છે  

·         એક જ વર્ષમાં ૨૨૫,૬૨૦ નાગરિકોએ ભારતીયતા ત્યાગી દીધી

·         બે કરોડ ઘૂસણખોરોમાંથી દાયકામાં માંડ ૩૦,૦૦૦ ડિપોર્ટ કરાયા  

Dr.Hari Desai writes weekly column for Gujarat Guardian Daily (Surat) and Sardar Gurjarari Daily (Anand).

છેલ્લાં ૧૨ વર્ષમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન વર્ષ ૨૦૨૨ માં ભારતીય નાગરિકતા છોડીને કરોડો રૂપિયાના રોકાણ સાથે વિદેશી નાગરિકતા મેળવનારાઓની સંખ્યા સૌથી  વધુ નોંધાઈ છે. ભારતમાં ધંધા માટેની અસુરક્ષા અનુભવતા હજારો ગુજરાતીઓ સહિતના દેશના નાગરિકો પોતાની માતૃભૂમિ સાથેનો સંબંધ તોડી રહ્યા છે.વર્ષ ૨૦૧૧થી ૨૦૧૯ દરમિયાન ભારતીય નાગરિકતા છોડનારાઓની સંખ્યા ૧૨૦,૦૦૦ અને ૧૪૪,૦૦૦ વચ્ચે રહેતી હતી. ૨૦૨૦માં કોવીદના કારણે આ આંકડો ૮૫,૨૫૬ હતો. વર્ષ ૨૦૨૧માં એ વધીને ૧૬૩,૩૭૦ થયો અને વર્ષ ૨૦૨૨માં તો નવો જ વિક્રમ સ્થપાયો..  ભારતીયો નાગરિકતા છોડીને ૧૩૫ દેશોની નાગરિકતા સ્વીકારે છે અને સાથે જ ત્યાં કરોડો રૂપિયાનું રોકાણ પણ કરે છે. આ કોઈ કલ્પનાના ઘોડા દોડાવવાની વાત નથી પરંતુ વિદેશ મંત્રી અને ગુજરાતના સાંસદ એસ.જયશંકરે ફેબ્રુઆરી, ૨૦૨૩માં આમ આદમી પાર્ટીના નારાયણ દસ ગુપ્તાના પ્રશ્નના ઉત્તરમાં રાજ્યસભામાં આપેલી આંકડાકીય વિગતો દેશની ગંભીર સ્થિતિનો અણસાર આપે છે.  એ પહેલાં લોકસભામાં કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદંબરમના ભારતીયો મોટાપાયે નાગરિકતા છોડી વિદેશી નાગરિકતા અપનાવી રહ્યા હોવાના પ્રશ્નના ઉત્તરમાં આપેલી માહિતીએ સૌને ચોંકાવી દીધા છે: માત્ર પાંચ વર્ષમાં જ ૬.૭૬ લાખ ભારતીય નાગરિકોએ નાગરિકતા છોડી છે. સત્તાવાર રીતે કેન્દ્ર સરકારે આપેલા આ આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૫થી લઈને સતત દર વર્ષે દોઢ લાખ જેટલા લોકો ભારતીય નાગરિકતા છોડીને વિદેશી નાગરિકતા લઈને ત્યાં સ્થાયી  થઇ રહ્યા છે. જાણવા મળ્યું હતું કે અમદાવાદના ઓછામાં ઓછા ૨,૦૦૦ સમૃદ્ધ પરિવારો એટલે કે જેમને કરોડપતિ ગણાવી શકાય એવા લોકો  ભારતમાં પોતાના વેપારધંધાને સંકેલી લઈને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે સંબંધિત કન્સલ્ટન્સી એજન્સી પાસે ફાઈલો જમા કરાવી વર્ક પરમિટની પ્રતીક્ષામાં છે. વાત માન્યામાં આવતી નહોતી, પણ વિદેશ મંત્રી જયશંકર  અને  કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી રાયે સંસદગૃહમાં માહિતી આપી એ પછીના અમારા સંશોધને આ વાત માત્ર ગંભીર જ નહીં, ભારતને માટે સંકટ સમાન હોવાનાં એંધાણ અપાનારી હોવાનું જરૂર અનુભવાયું. બ્રેઈન ડ્રેઈનને ઉલટી દિશામાં વાળવાના હાકલાદેકારા થઇ રહ્યા હોય અને રિવર્સ બ્રેઈન ડ્રેઈન શરૂ થવાના દાવા મોટા ઉપાડે થઇ રહ્યા હોય ત્યારે દર વર્ષે લાખો ભારતીય નાગરિકો પ્રાણપ્યારી માતૃભૂમિની નાગરિકતા છોડી રહ્યા વિશે  માત્ર સમાજોએ જ નહીં, સરકારોએ પણ ચિંતા કરવાની જરૂર છે.  સાગમટે પરિવાર પોતાના ધંધા અન્ય દેશમાં ખસેડવા માંગે છે એટલું જ નહીં, નવી પેઢી પણ પોતે વિદેશમાં જઈને સ્થાયી થવા ઈચ્છુક હોવાની બાબત પણ અમારા સંશોધનમાં બહાર આવી હતી. રાજકીય સ્થિરતા હોય ત્યાં ધંધો કરવાની મજા રહે એવું મનાતું હોવા છતાં વર્તમાનમાં રાજકીય સ્થિરતાનો  માહોલ હોવા છતાં વેપારધંધામાં અનિશ્ચિતતા ઘણાને જામેલા ધંધાને સંકેલી લઈને વિદેશમાં અને ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ કે અમેરિકામાં પોતાના વેપારધંધા સ્થળાંતરિત કરવા પ્રેરે છે. સંયોગ જુઓ કે છેલ્લાં પાંચ વર્ષમાં આ વલણ સવિશેષ જોવા મળે છે.

ભારતીયતાનું આકર્ષણ ઘટ્યું

કેન્દ્રના સત્તાવાર આંકડા મુજબ, વર્ષ ૨૦૧૫માં ૧૪૧,૬૫૬  ભારતીય નાગરિકોએ વિદેશી નાગરિકતા અપનાવી.વર્ષ ૨૦૧૬માં ૧૪૪,૯૪૨  ભારતીય નાગરિકોએ નાગરિકતા છોડી હતી. વર્ષ ૨૦૧૭માં ૧૨૭,૯૦૫ તથા  વર્ષ ૨૦૧૮માં આ આંકડો ૧૨૫,૧૩૦ હતો અને  વર્ષ ૨૦૧૯માં ૧૩૬,૪૪૧ હતો. આની સામે ભારતીય નાગરિકતા લેનારાઓના આંકડા જોવામાં આવે તો એ નહીંવત છે. વર્ષ ૨૦૧૫માં ૧૫,૪૭૦ (મોટાભાગના બાંગલાદેશી નાગરિકોને તેમના પ્રદેશ – એન્કલેવના સાટાને કારણે- ભારતમાં સમાવાતાં), ૨૦૧૬માં ૧,૧૦૬ વિદેશીઓને ભારતીય નાગરિકતા અપાઈ. વર્ષ ૨૦૧૭માં ૮૧૭ તથા ૨૦૧૮માં ૬૨૮ તથા વર્ષ ૨૦૧૯માં ૯૮૭ વિદેશી નાગરિકોને ભારતીય નાગરિકતા અપાઈ હતી. છેલ્લા એકાદ દાયકામાં માત્ર ૨૧,૪૦૮ વિદેશીઓને ભારતીય નાગરિકતા અપાઈ હતી. આમાંના મોટા ભાગના શરણાર્થી કે વિદેશમાં ધાર્મિક કનડગતનો ભોગ બનેલા હતા. વર્ષ ૧૯૬૪થી ૨૦૦૮ દરમિયાન ૪.૬૧ લાખ ભારતીય મૂળના તમિળોને અને ૧૯૬૨થી ૧૯૭૮ દરમિયાન બર્મામાં વસતા ભારતીય મૂળના બે લાખ બર્મીઝ લોકોને ત્રાસને કારણે ભારત આવવું પડ્યું અને એમને નાગરિકતા અપાઈ હતી. હજુ તમિળનાડુમાં ૯૫,૦૦૦ શ્રીલંકન શરણાર્થીઓ નાગરિકતા ઝંખે છે. પાકિસ્તાન કે બાંગલાદેશ કે પછી અફઘાનિસ્તાનથી બહુ મોટી સંખ્યામાં ભારત ભાગી આવેલા લોકોને હજુ ભારતીય નાગરિકતા મળી નથી. જોકે કેન્દ્ર સરકારે ડિસેમ્બર ૨૦૧૯માં આપેલા આંકડાઓ મુજબ, વર્તમાન કેન્દ્ર સરકારે છ વર્ષમાં પાકિસ્તાન, બાંગલાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા ૪,૦૦૦ વિદેશીઓને નાગરિકતા આપી છે, જેમાં મુસ્લિમોનો પણ સમાવેશ છે. જોકે કેન્દ્ર સરકાર કહે છે કે ધાર્મિક યાદી રખાતી નથી. ભારતમાં બે કરોડ જેટલા બાંગલાદેશી ઘૂસણખોરો વસતા હોવાનું કોંગ્રેસના વડપણવાળી નરસિંહરાવ સરકાર કે ડૉ.મનમોહનસિંહ સરકારે જ નહીં, ભાજપના નેતાઓ અને વડાપ્રધાનો અટલ બિહારી વાજપેયી તથા નરેન્દ્ર મોદીની સરકારે સંસદમાં જણાવ્યું છે. છેલ્લે ૨૦૧૬માં મોદી સરકારના ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજીજુએ પણ દેશમાં બે કરોડ બાંગલાદેશી ઘૂસણખોરો હોવાનો આંકડો સંસદમાં આપ્યો હતો. આવા ઘૂસણખોરોને પાછા તગેડવા (ડિપોર્ટ) કરવાનો મુદ્દો ભાજપની નેતાગીરી જોરશોરથી ઉઠાવે છે, પરંતુ આવા ઘૂસણખોરોને પાછા તગેડવા અંગેનો એનો ટ્રેક રેકોર્ડ સાવ જ નબળો હોવાનું મોદી સરકારે જ ગૃહમાં રજૂ કરેલા  સત્તાવાર આંકડા સાબિત કરે છે. વર્તમાન કેન્દ્ર સરકારે માંડ ૩૦,૦૦૦ બાંગલાદેશી ઘૂસણખોરોને પાછા ધકેલ્યાનો આંકડો આપ્યો હતો. વળી, બાંગલાદેશની સરકારે તો હવે કહેવા માંડ્યું છે કે અમારા કોઈ નાગરિક ગેરકાયદે ભારતમાં રહેતા જ નથી. ડૉ.મનમોહનસિંહ સરકારે  વર્ષ ૨૦૦૯માં  ૧૦,૬૦૨ તથા ૨૦૧૦માં ૬,૨૯૦ અને વર્ષ ૨૦૧૧માં ૬,૭૬૧ બાંગલાદેશી ઘૂસણખોરોને પાછા તગેડ્યા હતા.

બેવડી નાગરિકતા અમાન્ય

બેવડી નાગરિકતાનો અમલ ભારત સરકાર કરતી નથી. તાજેતરમાં જ કેન્દ્રના ગૃહ રાજ્ય મંત્રી રાયે સંસદમાં  આ બાબતમાં સ્પષ્ટતા કરી હતી કે સરકાર ડ્યુઅલ સિટીઝનશિપ અંગે કોઈ દરખાસ્ત પર વિચારણા નથી કરી રહી.   એટલે કોઈ દેશના નાગરિકે  ભારતની નાગરિકતા લેવી હોય તો એણે અન્ય દેશની નાગરિકતા  છોડવી પડે. પાકિસ્તાની ગાયક અદનાન સામીએ ભારતીય નાગરિકતા લેવા માટે પોતાના દેશની નાગરિકતા છોડવી પડી હતી. કોંગ્રેસનાં અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી રાજીવ ગાંધીને પરણ્યાં ત્યારે એ ઇટાલિયન નાગરિકતા ધરાવતાં હતાં, પણ પાછળથી એમણે ભારતીય નાગરિકતા લેવા માટે ઇટાલિયન નાગરિકતા છોડવી પડી હતી. ભારતથી વિદેશમાં જઈને વસવાટ કરનારા ઘણા ભારતીય નાગરિકતા જાળવે છે. જેમકે હમણાં સ્વર્ગવાસી થયેલા અમેરિકામાં ફ્રેન્ડસ ઓફ ઓવરસીસ બીજેપીના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. મુકુંદ મોદીએ પોતે ભારતીય નાગરિકતા જાળવી હતી, પણ એમનાં મૂળ ભારતીય એવાં પત્ની ડૉ.કોકિલા મોદી અમેરિકી નાગરિકતા ધરાવતાં હતાં. ગુજરાત સરકારનાં મહેમાન તરીકે એનઆરજી ભવનમાં તેમણે બંનેએ પોતાની અલગ નાગરિકતાની નોંધ રજિસ્ટરમાં કરી હતી. નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન વસે છે અમેરિકામાં, પણ ભારતીય નાગરિકતા ધરાવે છે. શિકાગો નિવાસી ટેકનોક્રેટ સેમ પિત્રોડાએ અમેરિકી નાગરિકતા છોડીને ભારતીય નાગરિકતા મેળવી હતી.

ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યૂઝીલેન્ડ  

ક્યારેક ગુનેગારોને બ્રિટિશ સત્તાવાળાઓ ઓસ્ટ્રેલિયા ભણી જહાજોમાં ભરીને પાઠવતા હતા. ગુનાખોર લોકોની આ ભોમકા આજે વિશ્વના સજ્જનોને મીઠો આવકારો આપે છે. એના એક વડાપ્રધાન કેવિન રૂડ તો પોતાના પૂર્વજ અહીં ગુનેગાર તરીકે પાઠવાયાના મુદ્દે ગર્વ લેતા રહ્યા છે. અત્યારે સુસંસ્કૃત ગણાતા ઓસ્ટ્રેલિયામાં પ્રજા ઓછી છે અને વર્ષ ૨૦૧૨માં રંગભેદી રમખાણો સર્જાયાના અપવાદને બાદ કરતાં શાંતિથી અને  સુખે જીવી શકાય એવી આ ભોમકા રોકાણને આવકારે છે. ઓસ્ટ્રેલિયામાં એસબીએસ રેડિયો સાથે જોડાયેલાં રહેલાં અને હવે મુક્ત પત્રકાર  હરિતા મહેતા કહે છે કે ભારતના લોકો માટે અહીંનું વાતાવરણ લગભગ ભારત જેવું હોવાને કારણે ફાવે તેવું છે, કામ કરવાની અને વિકાસ કરવાની મોકળાશ છે. શાંતિની જિંદગી છે. અહીં આવી વસનારાઓમાં  ભારતીયો ત્રીજા ક્રમે આવે છે. કચ્છના સાંસદ રહેલા ડૉ. મહીપતરાય મહેતાનાં પૌત્રી હરિતાનો અંદાજ છે કે ઓસ્ટ્રેલિયાની ૨૬,૩૭૮,૧૮૨  જેટલી કુલ વસ્તીમાં ૮ લાખ  જેટલા હિંદીભાષી ભારતીય મૂળના લોકો છે. ગુજરાતીઓની સંખ્યા ૮૧,૩૩૪ આસપાસ ગણી શકાય. એ કહે છે કે છેલ્લાં ત્રણ વર્ષથી લોકો ઓસ્ટ્રેલિયા કરતાં કેનેડા ભણી વધુ  વળ્યાનું લાગે છે. અહીં મુસ્લિમો અને હિંદુઓની વસ્તી ઓછી હોવા છતાં એમની વચ્ચે દુનિયાભરમાં જે વાતાવરણ છે એ ખટાશ અહીં પણ જરૂર જોવા મળે છે. મહદઅંશે ખ્રિસ્તી વસ્તી ધરાવતા ઓસ્ટ્રેલિયાની વસ્તીમાં ધર્મ ભણી ઉદાસીનતા એની વસ્તી ગણતરીમાં ઝગારા મારે છે.

અમેરિકામાં શિફ્ટ થવાનું આકર્ષણ

ભારતમાંથી વિદેશ ભણવા કે કમાવા જવાનું આકર્ષણ તો ઘણીવાર ગેરકાયદે વિદેશ જઈને વસવાટ કરવાનું નિમિત્ત પણ બને છે. અમેરિકામાં વસતાં લગભગ અડધોઅડધ ભારતીય ગેરકાયદે એ દેશમાં ઘૂસ્યા કે વસતાં હોવાનો અંદાજ છે. જોકે ભારતીય નાગરિકતા છોડીને સાડા ત્રણ કરોડ રૂપિયાથી લઈને સાત કરોડ રૂપિયાનું રોકાણ ઓસ્ટ્રેલિયામાં વેપારધંધામાં તબક્કાવાર કરવા ઈચ્છુકોને તો ઓસ્ટ્રેલિયા આવકારે છે. સુરતના કાપડના મોટા વેપારધંધાને બંધ કરીને કે ભાવનગરના ૧૭ ટોચના ડોકટરો અહીં કોર્પોરેટ હોસ્પિટલો ધરાવતા હોવા છતાં તેમના દીકરા કે દીકરી બધાં વિદેશમાં જ સ્થાયી થવાનું પસંદ કરતાં હોય તો આપણી રાજકીય શાસન વ્યવસ્થામાં કંઈક ગડબડ હોવાનું લાગ્યા વિના રહેતું નથી. ઓસ્ટ્રેલિયા કે કેનેડા જનારા ભારતીયો અંતે તો અમેરિકા ભણી મીટ માંડીને બેઠા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. જોકે ભારતીયો નાગરિકતા છોડીને અને પોતાના કરોડો રૂપિયા સાથે વિદેશમાં જઈને રોકાણ કરીને વિદેશી નાગરિકતા મેળવવા ઉત્સુક હોય ત્યારે એની સમીક્ષા સત્વરે થવી ઘટે.

ઈ-મેઈલ: haridesai@gmail.com    (લખ્યા તારીખ: ૨૬ જૂન,૨૦૨૩)   

 

Indians giving up Indian Nationality

 

દાયકામાં વર્ષ ૨૦૨૨માં સૌથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી

અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ

·         છેલ્લાં ૧૨ વર્ષમાં નાગરિકતા છોડવાનું પ્રમાણ વધતું ચાલ્યું છે  

·         એક જ વર્ષમાં ૨૨૫,૬૨૦ નાગરિકોએ ભારતીયતા ત્યાગી દીધી

·         બે કરોડ ઘૂસણખોરોમાંથી દાયકામાં માંડ ૩૦,૦૦૦ ડિપોર્ટ કરાયા  

Dr.Hari Desai writes weekly column for Gujarat Guardian Daily (Surat) and Sardar Gurjarari Daily (Anand).

છેલ્લાં ૧૨ વર્ષમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન વર્ષ ૨૦૨૨ માં ભારતીય નાગરિકતા છોડીને કરોડો રૂપિયાના રોકાણ સાથે વિદેશી નાગરિકતા મેળવનારાઓની સંખ્યા સૌથી  વધુ નોંધાઈ છે. ભારતમાં ધંધા માટેની અસુરક્ષા અનુભવતા હજારો ગુજરાતીઓ સહિતના દેશના નાગરિકો પોતાની માતૃભૂમિ સાથેનો સંબંધ તોડી રહ્યા છે.વર્ષ ૨૦૧૧થી ૨૦૧૯ દરમિયાન ભારતીય નાગરિકતા છોડનારાઓની સંખ્યા ૧૨૦,૦૦૦ અને ૧૪૪,૦૦૦ વચ્ચે રહેતી હતી. ૨૦૨૦માં કોવીદના કારણે આ આંકડો ૮૫,૨૫૬ હતો. વર્ષ ૨૦૨૧માં એ વધીને ૧૬૩,૩૭૦ થયો અને વર્ષ ૨૦૨૨માં તો નવો જ વિક્રમ સ્થપાયો..  ભારતીયો નાગરિકતા છોડીને ૧૩૫ દેશોની નાગરિકતા સ્વીકારે છે અને સાથે જ ત્યાં કરોડો રૂપિયાનું રોકાણ પણ કરે છે. આ કોઈ કલ્પનાના ઘોડા દોડાવવાની વાત નથી પરંતુ વિદેશ મંત્રી અને ગુજરાતના સાંસદ એસ.જયશંકરે ફેબ્રુઆરી, ૨૦૨૩માં આમ આદમી પાર્ટીના નારાયણ દસ ગુપ્તાના પ્રશ્નના ઉત્તરમાં રાજ્યસભામાં આપેલી આંકડાકીય વિગતો દેશની ગંભીર સ્થિતિનો અણસાર આપે છે.  એ પહેલાં લોકસભામાં કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદંબરમના ભારતીયો મોટાપાયે નાગરિકતા છોડી વિદેશી નાગરિકતા અપનાવી રહ્યા હોવાના પ્રશ્નના ઉત્તરમાં આપેલી માહિતીએ સૌને ચોંકાવી દીધા છે: માત્ર પાંચ વર્ષમાં જ ૬.૭૬ લાખ ભારતીય નાગરિકોએ નાગરિકતા છોડી છે. સત્તાવાર રીતે કેન્દ્ર સરકારે આપેલા આ આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૫થી લઈને સતત દર વર્ષે દોઢ લાખ જેટલા લોકો ભારતીય નાગરિકતા છોડીને વિદેશી નાગરિકતા લઈને ત્યાં સ્થાયી  થઇ રહ્યા છે. જાણવા મળ્યું હતું કે અમદાવાદના ઓછામાં ઓછા ૨,૦૦૦ સમૃદ્ધ પરિવારો એટલે કે જેમને કરોડપતિ ગણાવી શકાય એવા લોકો  ભારતમાં પોતાના વેપારધંધાને સંકેલી લઈને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે સંબંધિત કન્સલ્ટન્સી એજન્સી પાસે ફાઈલો જમા કરાવી વર્ક પરમિટની પ્રતીક્ષામાં છે. વાત માન્યામાં આવતી નહોતી, પણ વિદેશ મંત્રી જયશંકર  અને  કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી રાયે સંસદગૃહમાં માહિતી આપી એ પછીના અમારા સંશોધને આ વાત માત્ર ગંભીર જ નહીં, ભારતને માટે સંકટ સમાન હોવાનાં એંધાણ અપાનારી હોવાનું જરૂર અનુભવાયું. બ્રેઈન ડ્રેઈનને ઉલટી દિશામાં વાળવાના હાકલાદેકારા થઇ રહ્યા હોય અને રિવર્સ બ્રેઈન ડ્રેઈન શરૂ થવાના દાવા મોટા ઉપાડે થઇ રહ્યા હોય ત્યારે દર વર્ષે લાખો ભારતીય નાગરિકો પ્રાણપ્યારી માતૃભૂમિની નાગરિકતા છોડી રહ્યા વિશે  માત્ર સમાજોએ જ નહીં, સરકારોએ પણ ચિંતા કરવાની જરૂર છે.  સાગમટે પરિવાર પોતાના ધંધા અન્ય દેશમાં ખસેડવા માંગે છે એટલું જ નહીં, નવી પેઢી પણ પોતે વિદેશમાં જઈને સ્થાયી થવા ઈચ્છુક હોવાની બાબત પણ અમારા સંશોધનમાં બહાર આવી હતી. રાજકીય સ્થિરતા હોય ત્યાં ધંધો કરવાની મજા રહે એવું મનાતું હોવા છતાં વર્તમાનમાં રાજકીય સ્થિરતાનો  માહોલ હોવા છતાં વેપારધંધામાં અનિશ્ચિતતા ઘણાને જામેલા ધંધાને સંકેલી લઈને વિદેશમાં અને ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ કે અમેરિકામાં પોતાના વેપારધંધા સ્થળાંતરિત કરવા પ્રેરે છે. સંયોગ જુઓ કે છેલ્લાં પાંચ વર્ષમાં આ વલણ સવિશેષ જોવા મળે છે.

ભારતીયતાનું આકર્ષણ ઘટ્યું

કેન્દ્રના સત્તાવાર આંકડા મુજબ, વર્ષ ૨૦૧૫માં ૧૪૧,૬૫૬  ભારતીય નાગરિકોએ વિદેશી નાગરિકતા અપનાવી.વર્ષ ૨૦૧૬માં ૧૪૪,૯૪૨  ભારતીય નાગરિકોએ નાગરિકતા છોડી હતી. વર્ષ ૨૦૧૭માં ૧૨૭,૯૦૫ તથા  વર્ષ ૨૦૧૮માં આ આંકડો ૧૨૫,૧૩૦ હતો અને  વર્ષ ૨૦૧૯માં ૧૩૬,૪૪૧ હતો. આની સામે ભારતીય નાગરિકતા લેનારાઓના આંકડા જોવામાં આવે તો એ નહીંવત છે. વર્ષ ૨૦૧૫માં ૧૫,૪૭૦ (મોટાભાગના બાંગલાદેશી નાગરિકોને તેમના પ્રદેશ – એન્કલેવના સાટાને કારણે- ભારતમાં સમાવાતાં), ૨૦૧૬માં ૧,૧૦૬ વિદેશીઓને ભારતીય નાગરિકતા અપાઈ. વર્ષ ૨૦૧૭માં ૮૧૭ તથા ૨૦૧૮માં ૬૨૮ તથા વર્ષ ૨૦૧૯માં ૯૮૭ વિદેશી નાગરિકોને ભારતીય નાગરિકતા અપાઈ હતી. છેલ્લા એકાદ દાયકામાં માત્ર ૨૧,૪૦૮ વિદેશીઓને ભારતીય નાગરિકતા અપાઈ હતી. આમાંના મોટા ભાગના શરણાર્થી કે વિદેશમાં ધાર્મિક કનડગતનો ભોગ બનેલા હતા. વર્ષ ૧૯૬૪થી ૨૦૦૮ દરમિયાન ૪.૬૧ લાખ ભારતીય મૂળના તમિળોને અને ૧૯૬૨થી ૧૯૭૮ દરમિયાન બર્મામાં વસતા ભારતીય મૂળના બે લાખ બર્મીઝ લોકોને ત્રાસને કારણે ભારત આવવું પડ્યું અને એમને નાગરિકતા અપાઈ હતી. હજુ તમિળનાડુમાં ૯૫,૦૦૦ શ્રીલંકન શરણાર્થીઓ નાગરિકતા ઝંખે છે. પાકિસ્તાન કે બાંગલાદેશ કે પછી અફઘાનિસ્તાનથી બહુ મોટી સંખ્યામાં ભારત ભાગી આવેલા લોકોને હજુ ભારતીય નાગરિકતા મળી નથી. જોકે કેન્દ્ર સરકારે ડિસેમ્બર ૨૦૧૯માં આપેલા આંકડાઓ મુજબ, વર્તમાન કેન્દ્ર સરકારે છ વર્ષમાં પાકિસ્તાન, બાંગલાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા ૪,૦૦૦ વિદેશીઓને નાગરિકતા આપી છે, જેમાં મુસ્લિમોનો પણ સમાવેશ છે. જોકે કેન્દ્ર સરકાર કહે છે કે ધાર્મિક યાદી રખાતી નથી. ભારતમાં બે કરોડ જેટલા બાંગલાદેશી ઘૂસણખોરો વસતા હોવાનું કોંગ્રેસના વડપણવાળી નરસિંહરાવ સરકાર કે ડૉ.મનમોહનસિંહ સરકારે જ નહીં, ભાજપના નેતાઓ અને વડાપ્રધાનો અટલ બિહારી વાજપેયી તથા નરેન્દ્ર મોદીની સરકારે સંસદમાં જણાવ્યું છે. છેલ્લે ૨૦૧૬માં મોદી સરકારના ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજીજુએ પણ દેશમાં બે કરોડ બાંગલાદેશી ઘૂસણખોરો હોવાનો આંકડો સંસદમાં આપ્યો હતો. આવા ઘૂસણખોરોને પાછા તગેડવા (ડિપોર્ટ) કરવાનો મુદ્દો ભાજપની નેતાગીરી જોરશોરથી ઉઠાવે છે, પરંતુ આવા ઘૂસણખોરોને પાછા તગેડવા અંગેનો એનો ટ્રેક રેકોર્ડ સાવ જ નબળો હોવાનું મોદી સરકારે જ ગૃહમાં રજૂ કરેલા  સત્તાવાર આંકડા સાબિત કરે છે. વર્તમાન કેન્દ્ર સરકારે માંડ ૩૦,૦૦૦ બાંગલાદેશી ઘૂસણખોરોને પાછા ધકેલ્યાનો આંકડો આપ્યો હતો. વળી, બાંગલાદેશની સરકારે તો હવે કહેવા માંડ્યું છે કે અમારા કોઈ નાગરિક ગેરકાયદે ભારતમાં રહેતા જ નથી. ડૉ.મનમોહનસિંહ સરકારે  વર્ષ ૨૦૦૯માં  ૧૦,૬૦૨ તથા ૨૦૧૦માં ૬,૨૯૦ અને વર્ષ ૨૦૧૧માં ૬,૭૬૧ બાંગલાદેશી ઘૂસણખોરોને પાછા તગેડ્યા હતા.

બેવડી નાગરિકતા અમાન્ય

બેવડી નાગરિકતાનો અમલ ભારત સરકાર કરતી નથી. તાજેતરમાં જ કેન્દ્રના ગૃહ રાજ્ય મંત્રી રાયે સંસદમાં  આ બાબતમાં સ્પષ્ટતા કરી હતી કે સરકાર ડ્યુઅલ સિટીઝનશિપ અંગે કોઈ દરખાસ્ત પર વિચારણા નથી કરી રહી.   એટલે કોઈ દેશના નાગરિકે  ભારતની નાગરિકતા લેવી હોય તો એણે અન્ય દેશની નાગરિકતા  છોડવી પડે. પાકિસ્તાની ગાયક અદનાન સામીએ ભારતીય નાગરિકતા લેવા માટે પોતાના દેશની નાગરિકતા છોડવી પડી હતી. કોંગ્રેસનાં અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી રાજીવ ગાંધીને પરણ્યાં ત્યારે એ ઇટાલિયન નાગરિકતા ધરાવતાં હતાં, પણ પાછળથી એમણે ભારતીય નાગરિકતા લેવા માટે ઇટાલિયન નાગરિકતા છોડવી પડી હતી. ભારતથી વિદેશમાં જઈને વસવાટ કરનારા ઘણા ભારતીય નાગરિકતા જાળવે છે. જેમકે હમણાં સ્વર્ગવાસી થયેલા અમેરિકામાં ફ્રેન્ડસ ઓફ ઓવરસીસ બીજેપીના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. મુકુંદ મોદીએ પોતે ભારતીય નાગરિકતા જાળવી હતી, પણ એમનાં મૂળ ભારતીય એવાં પત્ની ડૉ.કોકિલા મોદી અમેરિકી નાગરિકતા ધરાવતાં હતાં. ગુજરાત સરકારનાં મહેમાન તરીકે એનઆરજી ભવનમાં તેમણે બંનેએ પોતાની અલગ નાગરિકતાની નોંધ રજિસ્ટરમાં કરી હતી. નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન વસે છે અમેરિકામાં, પણ ભારતીય નાગરિકતા ધરાવે છે. શિકાગો નિવાસી ટેકનોક્રેટ સેમ પિત્રોડાએ અમેરિકી નાગરિકતા છોડીને ભારતીય નાગરિકતા મેળવી હતી.

ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યૂઝીલેન્ડ  

ક્યારેક ગુનેગારોને બ્રિટિશ સત્તાવાળાઓ ઓસ્ટ્રેલિયા ભણી જહાજોમાં ભરીને પાઠવતા હતા. ગુનાખોર લોકોની આ ભોમકા આજે વિશ્વના સજ્જનોને મીઠો આવકારો આપે છે. એના એક વડાપ્રધાન કેવિન રૂડ તો પોતાના પૂર્વજ અહીં ગુનેગાર તરીકે પાઠવાયાના મુદ્દે ગર્વ લેતા રહ્યા છે. અત્યારે સુસંસ્કૃત ગણાતા ઓસ્ટ્રેલિયામાં પ્રજા ઓછી છે અને વર્ષ ૨૦૧૨માં રંગભેદી રમખાણો સર્જાયાના અપવાદને બાદ કરતાં શાંતિથી અને  સુખે જીવી શકાય એવી આ ભોમકા રોકાણને આવકારે છે. ઓસ્ટ્રેલિયામાં એસબીએસ રેડિયો સાથે જોડાયેલાં રહેલાં અને હવે મુક્ત પત્રકાર  હરિતા મહેતા કહે છે કે ભારતના લોકો માટે અહીંનું વાતાવરણ લગભગ ભારત જેવું હોવાને કારણે ફાવે તેવું છે, કામ કરવાની અને વિકાસ કરવાની મોકળાશ છે. શાંતિની જિંદગી છે. અહીં આવી વસનારાઓમાં  ભારતીયો ત્રીજા ક્રમે આવે છે. કચ્છના સાંસદ રહેલા ડૉ. મહીપતરાય મહેતાનાં પૌત્રી હરિતાનો અંદાજ છે કે ઓસ્ટ્રેલિયાની ૨૬,૩૭૮,૧૮૨  જેટલી કુલ વસ્તીમાં ૮ લાખ  જેટલા હિંદીભાષી ભારતીય મૂળના લોકો છે. ગુજરાતીઓની સંખ્યા ૮૧,૩૩૪ આસપાસ ગણી શકાય. એ કહે છે કે છેલ્લાં ત્રણ વર્ષથી લોકો ઓસ્ટ્રેલિયા કરતાં કેનેડા ભણી વધુ  વળ્યાનું લાગે છે. અહીં મુસ્લિમો અને હિંદુઓની વસ્તી ઓછી હોવા છતાં એમની વચ્ચે દુનિયાભરમાં જે વાતાવરણ છે એ ખટાશ અહીં પણ જરૂર જોવા મળે છે. મહદઅંશે ખ્રિસ્તી વસ્તી ધરાવતા ઓસ્ટ્રેલિયાની વસ્તીમાં ધર્મ ભણી ઉદાસીનતા એની વસ્તી ગણતરીમાં ઝગારા મારે છે.

અમેરિકામાં શિફ્ટ થવાનું આકર્ષણ

ભારતમાંથી વિદેશ ભણવા કે કમાવા જવાનું આકર્ષણ તો ઘણીવાર ગેરકાયદે વિદેશ જઈને વસવાટ કરવાનું નિમિત્ત પણ બને છે. અમેરિકામાં વસતાં લગભગ અડધોઅડધ ભારતીય ગેરકાયદે એ દેશમાં ઘૂસ્યા કે વસતાં હોવાનો અંદાજ છે. જોકે ભારતીય નાગરિકતા છોડીને સાડા ત્રણ કરોડ રૂપિયાથી લઈને સાત કરોડ રૂપિયાનું રોકાણ ઓસ્ટ્રેલિયામાં વેપારધંધામાં તબક્કાવાર કરવા ઈચ્છુકોને તો ઓસ્ટ્રેલિયા આવકારે છે. સુરતના કાપડના મોટા વેપારધંધાને બંધ કરીને કે ભાવનગરના ૧૭ ટોચના ડોકટરો અહીં કોર્પોરેટ હોસ્પિટલો ધરાવતા હોવા છતાં તેમના દીકરા કે દીકરી બધાં વિદેશમાં જ સ્થાયી થવાનું પસંદ કરતાં હોય તો આપણી રાજકીય શાસન વ્યવસ્થામાં કંઈક ગડબડ હોવાનું લાગ્યા વિના રહેતું નથી. ઓસ્ટ્રેલિયા કે કેનેડા જનારા ભારતીયો અંતે તો અમેરિકા ભણી મીટ માંડીને બેઠા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. જોકે ભારતીયો નાગરિકતા છોડીને અને પોતાના કરોડો રૂપિયા સાથે વિદેશમાં જઈને રોકાણ કરીને વિદેશી નાગરિકતા મેળવવા ઉત્સુક હોય ત્યારે એની સમીક્ષા સત્વરે થવી ઘટે.

ઈ-મેઈલ: haridesai@gmail.com    (લખ્યા તારીખ: ૨૬ જૂન,૨૦૨૩)   

 

 

દાયકામાં વર્ષ ૨૦૨૨માં સૌથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી

અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ

·         છેલ્લાં ૧૨ વર્ષમાં નાગરિકતા છોડવાનું પ્રમાણ વધતું ચાલ્યું છે  

·         એક જ વર્ષમાં ૨૨૫,૬૨૦ નાગરિકોએ ભારતીયતા ત્યાગી દીધી

·         બે કરોડ ઘૂસણખોરોમાંથી દાયકામાં માંડ ૩૦,૦૦૦ ડિપોર્ટ કરાયા  

Dr.Hari Desai writes weekly column for Gujarat Guardian Daily (Surat) and Sardar Gurjarari Daily (Anand).

છેલ્લાં ૧૨ વર્ષમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન વર્ષ ૨૦૨૨ માં ભારતીય નાગરિકતા છોડીને કરોડો રૂપિયાના રોકાણ સાથે વિદેશી નાગરિકતા મેળવનારાઓની સંખ્યા સૌથી  વધુ નોંધાઈ છે. ભારતમાં ધંધા માટેની અસુરક્ષા અનુભવતા હજારો ગુજરાતીઓ સહિતના દેશના નાગરિકો પોતાની માતૃભૂમિ સાથેનો સંબંધ તોડી રહ્યા છે.વર્ષ ૨૦૧૧થી ૨૦૧૯ દરમિયાન ભારતીય નાગરિકતા છોડનારાઓની સંખ્યા ૧૨૦,૦૦૦ અને ૧૪૪,૦૦૦ વચ્ચે રહેતી હતી. ૨૦૨૦માં કોવીદના કારણે આ આંકડો ૮૫,૨૫૬ હતો. વર્ષ ૨૦૨૧માં એ વધીને ૧૬૩,૩૭૦ થયો અને વર્ષ ૨૦૨૨માં તો નવો જ વિક્રમ સ્થપાયો..  ભારતીયો નાગરિકતા છોડીને ૧૩૫ દેશોની નાગરિકતા સ્વીકારે છે અને સાથે જ ત્યાં કરોડો રૂપિયાનું રોકાણ પણ કરે છે. આ કોઈ કલ્પનાના ઘોડા દોડાવવાની વાત નથી પરંતુ વિદેશ મંત્રી અને ગુજરાતના સાંસદ એસ.જયશંકરે ફેબ્રુઆરી, ૨૦૨૩માં આમ આદમી પાર્ટીના નારાયણ દસ ગુપ્તાના પ્રશ્નના ઉત્તરમાં રાજ્યસભામાં આપેલી આંકડાકીય વિગતો દેશની ગંભીર સ્થિતિનો અણસાર આપે છે.  એ પહેલાં લોકસભામાં કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદંબરમના ભારતીયો મોટાપાયે નાગરિકતા છોડી વિદેશી નાગરિકતા અપનાવી રહ્યા હોવાના પ્રશ્નના ઉત્તરમાં આપેલી માહિતીએ સૌને ચોંકાવી દીધા છે: માત્ર પાંચ વર્ષમાં જ ૬.૭૬ લાખ ભારતીય નાગરિકોએ નાગરિકતા છોડી છે. સત્તાવાર રીતે કેન્દ્ર સરકારે આપેલા આ આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૫થી લઈને સતત દર વર્ષે દોઢ લાખ જેટલા લોકો ભારતીય નાગરિકતા છોડીને વિદેશી નાગરિકતા લઈને ત્યાં સ્થાયી  થઇ રહ્યા છે. જાણવા મળ્યું હતું કે અમદાવાદના ઓછામાં ઓછા ૨,૦૦૦ સમૃદ્ધ પરિવારો એટલે કે જેમને કરોડપતિ ગણાવી શકાય એવા લોકો  ભારતમાં પોતાના વેપારધંધાને સંકેલી લઈને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે સંબંધિત કન્સલ્ટન્સી એજન્સી પાસે ફાઈલો જમા કરાવી વર્ક પરમિટની પ્રતીક્ષામાં છે. વાત માન્યામાં આવતી નહોતી, પણ વિદેશ મંત્રી જયશંકર  અને  કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી રાયે સંસદગૃહમાં માહિતી આપી એ પછીના અમારા સંશોધને આ વાત માત્ર ગંભીર જ નહીં, ભારતને માટે સંકટ સમાન હોવાનાં એંધાણ અપાનારી હોવાનું જરૂર અનુભવાયું. બ્રેઈન ડ્રેઈનને ઉલટી દિશામાં વાળવાના હાકલાદેકારા થઇ રહ્યા હોય અને રિવર્સ બ્રેઈન ડ્રેઈન શરૂ થવાના દાવા મોટા ઉપાડે થઇ રહ્યા હોય ત્યારે દર વર્ષે લાખો ભારતીય નાગરિકો પ્રાણપ્યારી માતૃભૂમિની નાગરિકતા છોડી રહ્યા વિશે  માત્ર સમાજોએ જ નહીં, સરકારોએ પણ ચિંતા કરવાની જરૂર છે.  સાગમટે પરિવાર પોતાના ધંધા અન્ય દેશમાં ખસેડવા માંગે છે એટલું જ નહીં, નવી પેઢી પણ પોતે વિદેશમાં જઈને સ્થાયી થવા ઈચ્છુક હોવાની બાબત પણ અમારા સંશોધનમાં બહાર આવી હતી. રાજકીય સ્થિરતા હોય ત્યાં ધંધો કરવાની મજા રહે એવું મનાતું હોવા છતાં વર્તમાનમાં રાજકીય સ્થિરતાનો  માહોલ હોવા છતાં વેપારધંધામાં અનિશ્ચિતતા ઘણાને જામેલા ધંધાને સંકેલી લઈને વિદેશમાં અને ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ કે અમેરિકામાં પોતાના વેપારધંધા સ્થળાંતરિત કરવા પ્રેરે છે. સંયોગ જુઓ કે છેલ્લાં પાંચ વર્ષમાં આ વલણ સવિશેષ જોવા મળે છે.

ભારતીયતાનું આકર્ષણ ઘટ્યું

કેન્દ્રના સત્તાવાર આંકડા મુજબ, વર્ષ ૨૦૧૫માં ૧૪૧,૬૫૬  ભારતીય નાગરિકોએ વિદેશી નાગરિકતા અપનાવી.વર્ષ ૨૦૧૬માં ૧૪૪,૯૪૨  ભારતીય નાગરિકોએ નાગરિકતા છોડી હતી. વર્ષ ૨૦૧૭માં ૧૨૭,૯૦૫ તથા  વર્ષ ૨૦૧૮માં આ આંકડો ૧૨૫,૧૩૦ હતો અને  વર્ષ ૨૦૧૯માં ૧૩૬,૪૪૧ હતો. આની સામે ભારતીય નાગરિકતા લેનારાઓના આંકડા જોવામાં આવે તો એ નહીંવત છે. વર્ષ ૨૦૧૫માં ૧૫,૪૭૦ (મોટાભાગના બાંગલાદેશી નાગરિકોને તેમના પ્રદેશ – એન્કલેવના સાટાને કારણે- ભારતમાં સમાવાતાં), ૨૦૧૬માં ૧,૧૦૬ વિદેશીઓને ભારતીય નાગરિકતા અપાઈ. વર્ષ ૨૦૧૭માં ૮૧૭ તથા ૨૦૧૮માં ૬૨૮ તથા વર્ષ ૨૦૧૯માં ૯૮૭ વિદેશી નાગરિકોને ભારતીય નાગરિકતા અપાઈ હતી. છેલ્લા એકાદ દાયકામાં માત્ર ૨૧,૪૦૮ વિદેશીઓને ભારતીય નાગરિકતા અપાઈ હતી. આમાંના મોટા ભાગના શરણાર્થી કે વિદેશમાં ધાર્મિક કનડગતનો ભોગ બનેલા હતા. વર્ષ ૧૯૬૪થી ૨૦૦૮ દરમિયાન ૪.૬૧ લાખ ભારતીય મૂળના તમિળોને અને ૧૯૬૨થી ૧૯૭૮ દરમિયાન બર્મામાં વસતા ભારતીય મૂળના બે લાખ બર્મીઝ લોકોને ત્રાસને કારણે ભારત આવવું પડ્યું અને એમને નાગરિકતા અપાઈ હતી. હજુ તમિળનાડુમાં ૯૫,૦૦૦ શ્રીલંકન શરણાર્થીઓ નાગરિકતા ઝંખે છે. પાકિસ્તાન કે બાંગલાદેશ કે પછી અફઘાનિસ્તાનથી બહુ મોટી સંખ્યામાં ભારત ભાગી આવેલા લોકોને હજુ ભારતીય નાગરિકતા મળી નથી. જોકે કેન્દ્ર સરકારે ડિસેમ્બર ૨૦૧૯માં આપેલા આંકડાઓ મુજબ, વર્તમાન કેન્દ્ર સરકારે છ વર્ષમાં પાકિસ્તાન, બાંગલાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા ૪,૦૦૦ વિદેશીઓને નાગરિકતા આપી છે, જેમાં મુસ્લિમોનો પણ સમાવેશ છે. જોકે કેન્દ્ર સરકાર કહે છે કે ધાર્મિક યાદી રખાતી નથી. ભારતમાં બે કરોડ જેટલા બાંગલાદેશી ઘૂસણખોરો વસતા હોવાનું કોંગ્રેસના વડપણવાળી નરસિંહરાવ સરકાર કે ડૉ.મનમોહનસિંહ સરકારે જ નહીં, ભાજપના નેતાઓ અને વડાપ્રધાનો અટલ બિહારી વાજપેયી તથા નરેન્દ્ર મોદીની સરકારે સંસદમાં જણાવ્યું છે. છેલ્લે ૨૦૧૬માં મોદી સરકારના ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજીજુએ પણ દેશમાં બે કરોડ બાંગલાદેશી ઘૂસણખોરો હોવાનો આંકડો સંસદમાં આપ્યો હતો. આવા ઘૂસણખોરોને પાછા તગેડવા (ડિપોર્ટ) કરવાનો મુદ્દો ભાજપની નેતાગીરી જોરશોરથી ઉઠાવે છે, પરંતુ આવા ઘૂસણખોરોને પાછા તગેડવા અંગેનો એનો ટ્રેક રેકોર્ડ સાવ જ નબળો હોવાનું મોદી સરકારે જ ગૃહમાં રજૂ કરેલા  સત્તાવાર આંકડા સાબિત કરે છે. વર્તમાન કેન્દ્ર સરકારે માંડ ૩૦,૦૦૦ બાંગલાદેશી ઘૂસણખોરોને પાછા ધકેલ્યાનો આંકડો આપ્યો હતો. વળી, બાંગલાદેશની સરકારે તો હવે કહેવા માંડ્યું છે કે અમારા કોઈ નાગરિક ગેરકાયદે ભારતમાં રહેતા જ નથી. ડૉ.મનમોહનસિંહ સરકારે  વર્ષ ૨૦૦૯માં  ૧૦,૬૦૨ તથા ૨૦૧૦માં ૬,૨૯૦ અને વર્ષ ૨૦૧૧માં ૬,૭૬૧ બાંગલાદેશી ઘૂસણખોરોને પાછા તગેડ્યા હતા.

બેવડી નાગરિકતા અમાન્ય

બેવડી નાગરિકતાનો અમલ ભારત સરકાર કરતી નથી. તાજેતરમાં જ કેન્દ્રના ગૃહ રાજ્ય મંત્રી રાયે સંસદમાં  આ બાબતમાં સ્પષ્ટતા કરી હતી કે સરકાર ડ્યુઅલ સિટીઝનશિપ અંગે કોઈ દરખાસ્ત પર વિચારણા નથી કરી રહી.   એટલે કોઈ દેશના નાગરિકે  ભારતની નાગરિકતા લેવી હોય તો એણે અન્ય દેશની નાગરિકતા  છોડવી પડે. પાકિસ્તાની ગાયક અદનાન સામીએ ભારતીય નાગરિકતા લેવા માટે પોતાના દેશની નાગરિકતા છોડવી પડી હતી. કોંગ્રેસનાં અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી રાજીવ ગાંધીને પરણ્યાં ત્યારે એ ઇટાલિયન નાગરિકતા ધરાવતાં હતાં, પણ પાછળથી એમણે ભારતીય નાગરિકતા લેવા માટે ઇટાલિયન નાગરિકતા છોડવી પડી હતી. ભારતથી વિદેશમાં જઈને વસવાટ કરનારા ઘણા ભારતીય નાગરિકતા જાળવે છે. જેમકે હમણાં સ્વર્ગવાસી થયેલા અમેરિકામાં ફ્રેન્ડસ ઓફ ઓવરસીસ બીજેપીના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. મુકુંદ મોદીએ પોતે ભારતીય નાગરિકતા જાળવી હતી, પણ એમનાં મૂળ ભારતીય એવાં પત્ની ડૉ.કોકિલા મોદી અમેરિકી નાગરિકતા ધરાવતાં હતાં. ગુજરાત સરકારનાં મહેમાન તરીકે એનઆરજી ભવનમાં તેમણે બંનેએ પોતાની અલગ નાગરિકતાની નોંધ રજિસ્ટરમાં કરી હતી. નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન વસે છે અમેરિકામાં, પણ ભારતીય નાગરિકતા ધરાવે છે. શિકાગો નિવાસી ટેકનોક્રેટ સેમ પિત્રોડાએ અમેરિકી નાગરિકતા છોડીને ભારતીય નાગરિકતા મેળવી હતી.

ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યૂઝીલેન્ડ  

ક્યારેક ગુનેગારોને બ્રિટિશ સત્તાવાળાઓ ઓસ્ટ્રેલિયા ભણી જહાજોમાં ભરીને પાઠવતા હતા. ગુનાખોર લોકોની આ ભોમકા આજે વિશ્વના સજ્જનોને મીઠો આવકારો આપે છે. એના એક વડાપ્રધાન કેવિન રૂડ તો પોતાના પૂર્વજ અહીં ગુનેગાર તરીકે પાઠવાયાના મુદ્દે ગર્વ લેતા રહ્યા છે. અત્યારે સુસંસ્કૃત ગણાતા ઓસ્ટ્રેલિયામાં પ્રજા ઓછી છે અને વર્ષ ૨૦૧૨માં રંગભેદી રમખાણો સર્જાયાના અપવાદને બાદ કરતાં શાંતિથી અને  સુખે જીવી શકાય એવી આ ભોમકા રોકાણને આવકારે છે. ઓસ્ટ્રેલિયામાં એસબીએસ રેડિયો સાથે જોડાયેલાં રહેલાં અને હવે મુક્ત પત્રકાર  હરિતા મહેતા કહે છે કે ભારતના લોકો માટે અહીંનું વાતાવરણ લગભગ ભારત જેવું હોવાને કારણે ફાવે તેવું છે, કામ કરવાની અને વિકાસ કરવાની મોકળાશ છે. શાંતિની જિંદગી છે. અહીં આવી વસનારાઓમાં  ભારતીયો ત્રીજા ક્રમે આવે છે. કચ્છના સાંસદ રહેલા ડૉ. મહીપતરાય મહેતાનાં પૌત્રી હરિતાનો અંદાજ છે કે ઓસ્ટ્રેલિયાની ૨૬,૩૭૮,૧૮૨  જેટલી કુલ વસ્તીમાં ૮ લાખ  જેટલા હિંદીભાષી ભારતીય મૂળના લોકો છે. ગુજરાતીઓની સંખ્યા ૮૧,૩૩૪ આસપાસ ગણી શકાય. એ કહે છે કે છેલ્લાં ત્રણ વર્ષથી લોકો ઓસ્ટ્રેલિયા કરતાં કેનેડા ભણી વધુ  વળ્યાનું લાગે છે. અહીં મુસ્લિમો અને હિંદુઓની વસ્તી ઓછી હોવા છતાં એમની વચ્ચે દુનિયાભરમાં જે વાતાવરણ છે એ ખટાશ અહીં પણ જરૂર જોવા મળે છે. મહદઅંશે ખ્રિસ્તી વસ્તી ધરાવતા ઓસ્ટ્રેલિયાની વસ્તીમાં ધર્મ ભણી ઉદાસીનતા એની વસ્તી ગણતરીમાં ઝગારા મારે છે.

અમેરિકામાં શિફ્ટ થવાનું આકર્ષણ

ભારતમાંથી વિદેશ ભણવા કે કમાવા જવાનું આકર્ષણ તો ઘણીવાર ગેરકાયદે વિદેશ જઈને વસવાટ કરવાનું નિમિત્ત પણ બને છે. અમેરિકામાં વસતાં લગભગ અડધોઅડધ ભારતીય ગેરકાયદે એ દેશમાં ઘૂસ્યા કે વસતાં હોવાનો અંદાજ છે. જોકે ભારતીય નાગરિકતા છોડીને સાડા ત્રણ કરોડ રૂપિયાથી લઈને સાત કરોડ રૂપિયાનું રોકાણ ઓસ્ટ્રેલિયામાં વેપારધંધામાં તબક્કાવાર કરવા ઈચ્છુકોને તો ઓસ્ટ્રેલિયા આવકારે છે. સુરતના કાપડના મોટા વેપારધંધાને બંધ કરીને કે ભાવનગરના ૧૭ ટોચના ડોકટરો અહીં કોર્પોરેટ હોસ્પિટલો ધરાવતા હોવા છતાં તેમના દીકરા કે દીકરી બધાં વિદેશમાં જ સ્થાયી થવાનું પસંદ કરતાં હોય તો આપણી રાજકીય શાસન વ્યવસ્થામાં કંઈક ગડબડ હોવાનું લાગ્યા વિના રહેતું નથી. ઓસ્ટ્રેલિયા કે કેનેડા જનારા ભારતીયો અંતે તો અમેરિકા ભણી મીટ માંડીને બેઠા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. જોકે ભારતીયો નાગરિકતા છોડીને અને પોતાના કરોડો રૂપિયા સાથે વિદેશમાં જઈને રોકાણ કરીને વિદેશી નાગરિકતા મેળવવા ઉત્સુક હોય ત્યારે એની સમીક્ષા સત્વરે થવી ઘટે.

ઈ-મેઈલ: haridesai@gmail.com    (લખ્યા તારીખ: ૨૬ જૂન,૨૦૨૩)   

 

Indians giving up Nationality

 

દાયકામાં વર્ષ ૨૦૨૨માં સૌથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી

અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ

·         છેલ્લાં ૧૨ વર્ષમાં નાગરિકતા છોડવાનું પ્રમાણ વધતું ચાલ્યું છે  

·         એક જ વર્ષમાં ૨૨૫,૬૨૦ નાગરિકોએ ભારતીયતા ત્યાગી દીધી

·         બે કરોડ ઘૂસણખોરોમાંથી દાયકામાં માંડ ૩૦,૦૦૦ ડિપોર્ટ કરાયા  

Dr.Hari Desai writes weekly column for Gujarat Guardian Daily (Surat) and Sardar Gurjarari Daily (Anand).

છેલ્લાં ૧૨ વર્ષમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન વર્ષ ૨૦૨૨ માં ભારતીય નાગરિકતા છોડીને કરોડો રૂપિયાના રોકાણ સાથે વિદેશી નાગરિકતા મેળવનારાઓની સંખ્યા સૌથી  વધુ નોંધાઈ છે. ભારતમાં ધંધા માટેની અસુરક્ષા અનુભવતા હજારો ગુજરાતીઓ સહિતના દેશના નાગરિકો પોતાની માતૃભૂમિ સાથેનો સંબંધ તોડી રહ્યા છે.વર્ષ ૨૦૧૧થી ૨૦૧૯ દરમિયાન ભારતીય નાગરિકતા છોડનારાઓની સંખ્યા ૧૨૦,૦૦૦ અને ૧૪૪,૦૦૦ વચ્ચે રહેતી હતી. ૨૦૨૦માં કોવીદના કારણે આ આંકડો ૮૫,૨૫૬ હતો. વર્ષ ૨૦૨૧માં એ વધીને ૧૬૩,૩૭૦ થયો અને વર્ષ ૨૦૨૨માં તો નવો જ વિક્રમ સ્થપાયો..  ભારતીયો નાગરિકતા છોડીને ૧૩૫ દેશોની નાગરિકતા સ્વીકારે છે અને સાથે જ ત્યાં કરોડો રૂપિયાનું રોકાણ પણ કરે છે. આ કોઈ કલ્પનાના ઘોડા દોડાવવાની વાત નથી પરંતુ વિદેશ મંત્રી અને ગુજરાતના સાંસદ એસ.જયશંકરે ફેબ્રુઆરી, ૨૦૨૩માં આમ આદમી પાર્ટીના નારાયણ દસ ગુપ્તાના પ્રશ્નના ઉત્તરમાં રાજ્યસભામાં આપેલી આંકડાકીય વિગતો દેશની ગંભીર સ્થિતિનો અણસાર આપે છે.  એ પહેલાં લોકસભામાં કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદંબરમના ભારતીયો મોટાપાયે નાગરિકતા છોડી વિદેશી નાગરિકતા અપનાવી રહ્યા હોવાના પ્રશ્નના ઉત્તરમાં આપેલી માહિતીએ સૌને ચોંકાવી દીધા છે: માત્ર પાંચ વર્ષમાં જ ૬.૭૬ લાખ ભારતીય નાગરિકોએ નાગરિકતા છોડી છે. સત્તાવાર રીતે કેન્દ્ર સરકારે આપેલા આ આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૫થી લઈને સતત દર વર્ષે દોઢ લાખ જેટલા લોકો ભારતીય નાગરિકતા છોડીને વિદેશી નાગરિકતા લઈને ત્યાં સ્થાયી  થઇ રહ્યા છે. જાણવા મળ્યું હતું કે અમદાવાદના ઓછામાં ઓછા ૨,૦૦૦ સમૃદ્ધ પરિવારો એટલે કે જેમને કરોડપતિ ગણાવી શકાય એવા લોકો  ભારતમાં પોતાના વેપારધંધાને સંકેલી લઈને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે સંબંધિત કન્સલ્ટન્સી એજન્સી પાસે ફાઈલો જમા કરાવી વર્ક પરમિટની પ્રતીક્ષામાં છે. વાત માન્યામાં આવતી નહોતી, પણ વિદેશ મંત્રી જયશંકર  અને  કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી રાયે સંસદગૃહમાં માહિતી આપી એ પછીના અમારા સંશોધને આ વાત માત્ર ગંભીર જ નહીં, ભારતને માટે સંકટ સમાન હોવાનાં એંધાણ અપાનારી હોવાનું જરૂર અનુભવાયું. બ્રેઈન ડ્રેઈનને ઉલટી દિશામાં વાળવાના હાકલાદેકારા થઇ રહ્યા હોય અને રિવર્સ બ્રેઈન ડ્રેઈન શરૂ થવાના દાવા મોટા ઉપાડે થઇ રહ્યા હોય ત્યારે દર વર્ષે લાખો ભારતીય નાગરિકો પ્રાણપ્યારી માતૃભૂમિની નાગરિકતા છોડી રહ્યા વિશે  માત્ર સમાજોએ જ નહીં, સરકારોએ પણ ચિંતા કરવાની જરૂર છે.  સાગમટે પરિવાર પોતાના ધંધા અન્ય દેશમાં ખસેડવા માંગે છે એટલું જ નહીં, નવી પેઢી પણ પોતે વિદેશમાં જઈને સ્થાયી થવા ઈચ્છુક હોવાની બાબત પણ અમારા સંશોધનમાં બહાર આવી હતી. રાજકીય સ્થિરતા હોય ત્યાં ધંધો કરવાની મજા રહે એવું મનાતું હોવા છતાં વર્તમાનમાં રાજકીય સ્થિરતાનો  માહોલ હોવા છતાં વેપારધંધામાં અનિશ્ચિતતા ઘણાને જામેલા ધંધાને સંકેલી લઈને વિદેશમાં અને ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ કે અમેરિકામાં પોતાના વેપારધંધા સ્થળાંતરિત કરવા પ્રેરે છે. સંયોગ જુઓ કે છેલ્લાં પાંચ વર્ષમાં આ વલણ સવિશેષ જોવા મળે છે.

ભારતીયતાનું આકર્ષણ ઘટ્યું

કેન્દ્રના સત્તાવાર આંકડા મુજબ, વર્ષ ૨૦૧૫માં ૧૪૧,૬૫૬  ભારતીય નાગરિકોએ વિદેશી નાગરિકતા અપનાવી.વર્ષ ૨૦૧૬માં ૧૪૪,૯૪૨  ભારતીય નાગરિકોએ નાગરિકતા છોડી હતી. વર્ષ ૨૦૧૭માં ૧૨૭,૯૦૫ તથા  વર્ષ ૨૦૧૮માં આ આંકડો ૧૨૫,૧૩૦ હતો અને  વર્ષ ૨૦૧૯માં ૧૩૬,૪૪૧ હતો. આની સામે ભારતીય નાગરિકતા લેનારાઓના આંકડા જોવામાં આવે તો એ નહીંવત છે. વર્ષ ૨૦૧૫માં ૧૫,૪૭૦ (મોટાભાગના બાંગલાદેશી નાગરિકોને તેમના પ્રદેશ – એન્કલેવના સાટાને કારણે- ભારતમાં સમાવાતાં), ૨૦૧૬માં ૧,૧૦૬ વિદેશીઓને ભારતીય નાગરિકતા અપાઈ. વર્ષ ૨૦૧૭માં ૮૧૭ તથા ૨૦૧૮માં ૬૨૮ તથા વર્ષ ૨૦૧૯માં ૯૮૭ વિદેશી નાગરિકોને ભારતીય નાગરિકતા અપાઈ હતી. છેલ્લા એકાદ દાયકામાં માત્ર ૨૧,૪૦૮ વિદેશીઓને ભારતીય નાગરિકતા અપાઈ હતી. આમાંના મોટા ભાગના શરણાર્થી કે વિદેશમાં ધાર્મિક કનડગતનો ભોગ બનેલા હતા. વર્ષ ૧૯૬૪થી ૨૦૦૮ દરમિયાન ૪.૬૧ લાખ ભારતીય મૂળના તમિળોને અને ૧૯૬૨થી ૧૯૭૮ દરમિયાન બર્મામાં વસતા ભારતીય મૂળના બે લાખ બર્મીઝ લોકોને ત્રાસને કારણે ભારત આવવું પડ્યું અને એમને નાગરિકતા અપાઈ હતી. હજુ તમિળનાડુમાં ૯૫,૦૦૦ શ્રીલંકન શરણાર્થીઓ નાગરિકતા ઝંખે છે. પાકિસ્તાન કે બાંગલાદેશ કે પછી અફઘાનિસ્તાનથી બહુ મોટી સંખ્યામાં ભારત ભાગી આવેલા લોકોને હજુ ભારતીય નાગરિકતા મળી નથી. જોકે કેન્દ્ર સરકારે ડિસેમ્બર ૨૦૧૯માં આપેલા આંકડાઓ મુજબ, વર્તમાન કેન્દ્ર સરકારે છ વર્ષમાં પાકિસ્તાન, બાંગલાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા ૪,૦૦૦ વિદેશીઓને નાગરિકતા આપી છે, જેમાં મુસ્લિમોનો પણ સમાવેશ છે. જોકે કેન્દ્ર સરકાર કહે છે કે ધાર્મિક યાદી રખાતી નથી. ભારતમાં બે કરોડ જેટલા બાંગલાદેશી ઘૂસણખોરો વસતા હોવાનું કોંગ્રેસના વડપણવાળી નરસિંહરાવ સરકાર કે ડૉ.મનમોહનસિંહ સરકારે જ નહીં, ભાજપના નેતાઓ અને વડાપ્રધાનો અટલ બિહારી વાજપેયી તથા નરેન્દ્ર મોદીની સરકારે સંસદમાં જણાવ્યું છે. છેલ્લે ૨૦૧૬માં મોદી સરકારના ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજીજુએ પણ દેશમાં બે કરોડ બાંગલાદેશી ઘૂસણખોરો હોવાનો આંકડો સંસદમાં આપ્યો હતો. આવા ઘૂસણખોરોને પાછા તગેડવા (ડિપોર્ટ) કરવાનો મુદ્દો ભાજપની નેતાગીરી જોરશોરથી ઉઠાવે છે, પરંતુ આવા ઘૂસણખોરોને પાછા તગેડવા અંગેનો એનો ટ્રેક રેકોર્ડ સાવ જ નબળો હોવાનું મોદી સરકારે જ ગૃહમાં રજૂ કરેલા  સત્તાવાર આંકડા સાબિત કરે છે. વર્તમાન કેન્દ્ર સરકારે માંડ ૩૦,૦૦૦ બાંગલાદેશી ઘૂસણખોરોને પાછા ધકેલ્યાનો આંકડો આપ્યો હતો. વળી, બાંગલાદેશની સરકારે તો હવે કહેવા માંડ્યું છે કે અમારા કોઈ નાગરિક ગેરકાયદે ભારતમાં રહેતા જ નથી. ડૉ.મનમોહનસિંહ સરકારે  વર્ષ ૨૦૦૯માં  ૧૦,૬૦૨ તથા ૨૦૧૦માં ૬,૨૯૦ અને વર્ષ ૨૦૧૧માં ૬,૭૬૧ બાંગલાદેશી ઘૂસણખોરોને પાછા તગેડ્યા હતા.

બેવડી નાગરિકતા અમાન્ય

બેવડી નાગરિકતાનો અમલ ભારત સરકાર કરતી નથી. તાજેતરમાં જ કેન્દ્રના ગૃહ રાજ્ય મંત્રી રાયે સંસદમાં  આ બાબતમાં સ્પષ્ટતા કરી હતી કે સરકાર ડ્યુઅલ સિટીઝનશિપ અંગે કોઈ દરખાસ્ત પર વિચારણા નથી કરી રહી.   એટલે કોઈ દેશના નાગરિકે  ભારતની નાગરિકતા લેવી હોય તો એણે અન્ય દેશની નાગરિકતા  છોડવી પડે. પાકિસ્તાની ગાયક અદનાન સામીએ ભારતીય નાગરિકતા લેવા માટે પોતાના દેશની નાગરિકતા છોડવી પડી હતી. કોંગ્રેસનાં અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી રાજીવ ગાંધીને પરણ્યાં ત્યારે એ ઇટાલિયન નાગરિકતા ધરાવતાં હતાં, પણ પાછળથી એમણે ભારતીય નાગરિકતા લેવા માટે ઇટાલિયન નાગરિકતા છોડવી પડી હતી. ભારતથી વિદેશમાં જઈને વસવાટ કરનારા ઘણા ભારતીય નાગરિકતા જાળવે છે. જેમકે હમણાં સ્વર્ગવાસી થયેલા અમેરિકામાં ફ્રેન્ડસ ઓફ ઓવરસીસ બીજેપીના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. મુકુંદ મોદીએ પોતે ભારતીય નાગરિકતા જાળવી હતી, પણ એમનાં મૂળ ભારતીય એવાં પત્ની ડૉ.કોકિલા મોદી અમેરિકી નાગરિકતા ધરાવતાં હતાં. ગુજરાત સરકારનાં મહેમાન તરીકે એનઆરજી ભવનમાં તેમણે બંનેએ પોતાની અલગ નાગરિકતાની નોંધ રજિસ્ટરમાં કરી હતી. નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન વસે છે અમેરિકામાં, પણ ભારતીય નાગરિકતા ધરાવે છે. શિકાગો નિવાસી ટેકનોક્રેટ સેમ પિત્રોડાએ અમેરિકી નાગરિકતા છોડીને ભારતીય નાગરિકતા મેળવી હતી.

ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યૂઝીલેન્ડ  

ક્યારેક ગુનેગારોને બ્રિટિશ સત્તાવાળાઓ ઓસ્ટ્રેલિયા ભણી જહાજોમાં ભરીને પાઠવતા હતા. ગુનાખોર લોકોની આ ભોમકા આજે વિશ્વના સજ્જનોને મીઠો આવકારો આપે છે. એના એક વડાપ્રધાન કેવિન રૂડ તો પોતાના પૂર્વજ અહીં ગુનેગાર તરીકે પાઠવાયાના મુદ્દે ગર્વ લેતા રહ્યા છે. અત્યારે સુસંસ્કૃત ગણાતા ઓસ્ટ્રેલિયામાં પ્રજા ઓછી છે અને વર્ષ ૨૦૧૨માં રંગભેદી રમખાણો સર્જાયાના અપવાદને બાદ કરતાં શાંતિથી અને  સુખે જીવી શકાય એવી આ ભોમકા રોકાણને આવકારે છે. ઓસ્ટ્રેલિયામાં એસબીએસ રેડિયો સાથે જોડાયેલાં રહેલાં અને હવે મુક્ત પત્રકાર  હરિતા મહેતા કહે છે કે ભારતના લોકો માટે અહીંનું વાતાવરણ લગભગ ભારત જેવું હોવાને કારણે ફાવે તેવું છે, કામ કરવાની અને વિકાસ કરવાની મોકળાશ છે. શાંતિની જિંદગી છે. અહીં આવી વસનારાઓમાં  ભારતીયો ત્રીજા ક્રમે આવે છે. કચ્છના સાંસદ રહેલા ડૉ. મહીપતરાય મહેતાનાં પૌત્રી હરિતાનો અંદાજ છે કે ઓસ્ટ્રેલિયાની ૨૬,૩૭૮,૧૮૨  જેટલી કુલ વસ્તીમાં ૮ લાખ  જેટલા હિંદીભાષી ભારતીય મૂળના લોકો છે. ગુજરાતીઓની સંખ્યા ૮૧,૩૩૪ આસપાસ ગણી શકાય. એ કહે છે કે છેલ્લાં ત્રણ વર્ષથી લોકો ઓસ્ટ્રેલિયા કરતાં કેનેડા ભણી વધુ  વળ્યાનું લાગે છે. અહીં મુસ્લિમો અને હિંદુઓની વસ્તી ઓછી હોવા છતાં એમની વચ્ચે દુનિયાભરમાં જે વાતાવરણ છે એ ખટાશ અહીં પણ જરૂર જોવા મળે છે. મહદઅંશે ખ્રિસ્તી વસ્તી ધરાવતા ઓસ્ટ્રેલિયાની વસ્તીમાં ધર્મ ભણી ઉદાસીનતા એની વસ્તી ગણતરીમાં ઝગારા મારે છે.

અમેરિકામાં શિફ્ટ થવાનું આકર્ષણ

ભારતમાંથી વિદેશ ભણવા કે કમાવા જવાનું આકર્ષણ તો ઘણીવાર ગેરકાયદે વિદેશ જઈને વસવાટ કરવાનું નિમિત્ત પણ બને છે. અમેરિકામાં વસતાં લગભગ અડધોઅડધ ભારતીય ગેરકાયદે એ દેશમાં ઘૂસ્યા કે વસતાં હોવાનો અંદાજ છે. જોકે ભારતીય નાગરિકતા છોડીને સાડા ત્રણ કરોડ રૂપિયાથી લઈને સાત કરોડ રૂપિયાનું રોકાણ ઓસ્ટ્રેલિયામાં વેપારધંધામાં તબક્કાવાર કરવા ઈચ્છુકોને તો ઓસ્ટ્રેલિયા આવકારે છે. સુરતના કાપડના મોટા વેપારધંધાને બંધ કરીને કે ભાવનગરના ૧૭ ટોચના ડોકટરો અહીં કોર્પોરેટ હોસ્પિટલો ધરાવતા હોવા છતાં તેમના દીકરા કે દીકરી બધાં વિદેશમાં જ સ્થાયી થવાનું પસંદ કરતાં હોય તો આપણી રાજકીય શાસન વ્યવસ્થામાં કંઈક ગડબડ હોવાનું લાગ્યા વિના રહેતું નથી. ઓસ્ટ્રેલિયા કે કેનેડા જનારા ભારતીયો અંતે તો અમેરિકા ભણી મીટ માંડીને બેઠા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. જોકે ભારતીયો નાગરિકતા છોડીને અને પોતાના કરોડો રૂપિયા સાથે વિદેશમાં જઈને રોકાણ કરીને વિદેશી નાગરિકતા મેળવવા ઉત્સુક હોય ત્યારે એની સમીક્ષા સત્વરે થવી ઘટે.

ઈ-મેઈલ: haridesai@gmail.com    (લખ્યા તારીખ: ૨૬ જૂન,૨૦૨૩)   

 

Wednesday, June 14, 2023

 વિદેશમાં મોદીની ટીકા ભારતદ્રોહ તો ઇન્દિરા સામેની જનસંઘી લડત?

અતીતથી આજ :ડૉ.હરિ દેસાઈ
• રાહુલ ગાંધીનાં યુકે કે યુએસએમાં તાજાં ઉચ્ચારણોથી ભાજપને અકળામણ
• ઈમરજન્સીમાં બ્રિટનમાં ડૉ.સ્વામી અને મકરંદ દેસાઈએ ઝુંબેશ ચલાવી’તી
• મુસ્લિમવિરોધી પત્રિકાઓ અને સંદેશાઓ સામે ચૂંટણી પંચ સાવ મૂકપ્રેક્ષક
Dr.Hari Desai writes weekly column for Gujarat Guardian Daily(Surat) and Sardar Gurjari Daily(Anand).
આજે ૧૨ જૂને જયારે અમે આ કટાર લખી રહ્યા છીએ ત્યારે રાષ્ટ્રનાયક સરદાર પટેલના નામની માળા જપવાનું રાજકારણ ખેલાનારાઓમાંના મોટા ભાગના પણ વિસરી ગયા છે કે ૧૨ જૂન એ ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહનો નિર્ણાયક દિવસ “બારડોલી દિવસ” છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અનન્ય સાથી બેરિસ્ટર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપવાનું નિમિત્ત બન્યો હતો આ સત્યાગ્રહ. એ લડતે બ્રિટિશ શાસનને પણ ખેડૂતોની ન્યાયી માંગણીઓ સ્વીકારવાની ફરજ પાડી હતી. સત્તારોહણ માટે કોઈપણ સીડી કામ આવે એનો ઉપયોગ કરીને ભૂલી જવાનો આ જમાનો છે. જે લોકો અતીતના સહારે જ રાજકારણ ખેલતા રહ્યા છે એમને તો આ બરાબર લાગુ પડે છે.આજકાલ દેશ અને વિદેશમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ.ફિલ. થયેલા ભારતીય લોકસભાના “ડિસક્વોલિફાઈડ” એમ.પી. રાહુલ ગાંધીની ખૂબ ચર્ચા છે. એમનાં નિવેદનો અને વ્યક્તિગત જીવન તેમ જ એમણે ના કરેલાં નિવેદનો પણ વોટ્સએપ યુનિવર્સિટીમાં ખૂબ ચગાવવામાં આવે છે. સત્તારૂઢ ભાજપના નેતાઓને રાહુલવિરોધી નિવેદનો કરવા માટે સરપાવ મળતો હોય એવો માહોલ હોવાને કારણે એ મુદ્દે જાણે કે રીતસર સ્પર્ધા કે ચડસાચડસી ચાલી રહી છે. રાહુલને એમની યુનિવર્સિટી કેમ્બ્રિજમાં ભાષણ કરવા માટે બોલાવ્યા ત્યારથી લઈને હમણાં અમેરિકી યુનિવર્સિટી સ્ટેનફર્ડમાં વ્યાખ્યાન આપવા માટે તેડાવ્યા ત્યારે તેમણે કરેલાં અને નહીં કરેલાં નિવેદનોને વિકૃત કરીને જૂઠાણાં ફેલાવનારી પેલી વોટ્સએપ યુનિવર્સિટીમાં ખૂબ ચલાવાતાં રહ્યાં. હિમાચલ પ્રદેશ પછી કર્ણાટકમાં ભાજપ કનેથી કોંગ્રેસે સત્તા છીનવી લીધી અને હવે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ કોંગ્રેસ ફરી સત્તામાં આવે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપની શી વલે થાય એનો સન્નિપાત એની નેતાગીરીમાં વર્તાય છે. રાહુલ બધાનું ટાર્ગેટ છે. રાહુલનો પિતરાઈ ફિરોઝવરુણ ગાંધી ભાજપનો સાંસદ છે છતાં એ પરિવારવાદમાં ના ગણાય,પણ રાહુલ ગાંધી પરિવારવાદનું પ્રમાણ લેખવામાં આવે એવાં ભાજપી ગણિત મંડાય છે. સદગત વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના આ બંને પૌત્રોમાં ફિરોઝવરુણ હિંદુ લેખાય અને રાહુલને મુસ્લિમ કે ખ્રિસ્તી ગણાવવામાં આવે ત્યારે બુદ્ધિનું દેવાળું કાઢવામાં આવતું હોય એવું વર્તાય છે. ઓછામાં પૂરું, દેશ-વિદેશમાં જૂઠાણાં ફેલાવનારી પેલી વોટ્સએપ યુનિવર્સિટી ભારતના મુસ્લિમો વિરુદ્ધ અને રાહુલને મુસ્લિમ ગણાવવા સહિતનો અપપ્રચાર કરે છે છતાં કમ સે કમ ભારતમાં સરકાર કે ચૂંટણી પંચ ભાગ્યેજ કોઈ પગલાં લે છે.
મોદીની ટીકા ના થાય !
ભાજપની નેતાગીરી અને ભાજપીસેનાને એવું પઢાવવામાં આવતું લાગે છે કે વિદેશની ધરતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા એ ભારત વિરુદ્ધનું કૃત્ય ગણાય. મોદી તો અવતારી પુરુષ અને એમની સરકારની ટીકા તે વળી થતી હશે? હકીકતમાં દેશની સુપ્રીમ કોર્ટ વડાપ્રધાન કે તેમની સરકારની ટીકાને દેશદ્રોહ માનતી નથી. ભક્તો તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પણ ટ્રોલ કરવામાં પાછા પડતા નથી. જયારે મોદી સરકારના કાયદામંત્રી પણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો વિશે અણછાજતી ટિપ્પણો કરતા હોય ત્યારે એમના કાર્યકરોને તો વારે જ કોણ? સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચેના શીતયુદ્ધને શાંત પાડવા માટે મોદીએ કાયદામંત્રી બદલી નાંખવા પડ્યા. આમ છતાં, અવતારી પુરુષ લેખતા મહાનુભાવનો કરિશ્મા કર્ણાટકમાં ઓસરી ગયો અને રાહુલ ગાંધીની પદયાત્રા ફળી એ પછી તો ઘણાને સ્વપ્નમાં પણ રાહુલ જ ડોકાયા કરે છે. કોંગ્રેસના નેતાઓને તોડીને ભાજપમાં લાવવાનું ઓપરેશન લોટસ હવે ઉલટી દિશા પકડી રહ્યું છે. ભાજપના સંઘનિષ્ઠ નેતાઓ કોંગ્રેસમાં જોડાવા માંડ્યા છે. એટલે સન્નિપાત વધવો સ્વાભાવિક છે. અપવાદ ગુજરાત જ છે. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ તો મોદીને ભારત ગણાવવા માંડ્યા છે ત્યારે કોંગ્રેસના ઇન્દિરાયુગના અધ્યક્ષ દેવકાંત બરુઆનું સ્મરણ થવું સ્વાભાવિક છે. બરુઆએ “ઇન્દિરા ઈઝ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા ઈઝ ઇન્દિરા”નો રાગ આલાપવાનો ચાલુ કર્યો ત્યારે કોંગ્રેસ અને ઇન્દિરા બંનેનો પરાજય થયો હતો ! જે ઈમરજન્સી અંગે મોદી છાસવારે કોંગ્રેસ અને ઇન્દિરા ગાંધીની ટીકા કરે છે એ જ માર્ગે એ પોતે આગળ વધી રહ્યાનું તો સદગત ભાજપી નેતા અને મોદીના પુરોગામી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કહેતા રહ્યા હતા. એમણે મોદીના શાસનમાં “અઘોષિત ઈમરજન્સી” જેવો શબ્દપ્રયોગ કર્યો હતો.
ઈમરજન્સીમાં સંઘ-જનસંઘ
વિદેશની ધરતી પર કોંગ્રેસી શાસનની ટીકા કરવાનું સૌભાગ્ય તો વર્તમાન વડાપ્રધાન મોદીને, કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીને વિદેશી ધરતી પર ભાજપી શાસનની ટીકા કરવાનો અવસર મળ્યો, એ પહેલાં મળેલું છે. મોદી કદાચ એ વિસરી જતા હશે કે ઈમર્જન્સીમાં એમની ભૂમિકા જનસંઘના સાંસદ ડૉ.સુબ્રમણિયન સ્વામીને એરપોર્ટ પર તેડવા જવા અને ભાવનગર કોઈકને મળવા લઇ જવાની સેવા બજાવવા જેવી હોવાનું ડૉ.સ્વામી પણ નોંધતા રહ્યા છે. ડૉ.સ્વામી એ વેળા ઈમરજન્સી વિરોધી ચળવળના વરિષ્ઠ પ્રચારક માધવરાવ મૂળેપ્રેરિત કામગીરીના હીરો હતા. દેશમાં અને વિદેશમાં ઇન્દિરા ગાંધીના એ ૧૯૭૫-૭૭ના ઈમરજન્સી કાળ સામેના જંગમાં એ અગ્રણી ભૂમિકા નિભાવનાર હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઈમર્જન્સીમાં ભૂમિકા અંગે વર્ષ ૨૦૦૦માં ડૉ.સ્વામીએ ચેન્નઈના “ધ હિંદુ”અને “ફ્રન્ટલાઈન”માં થોડા વિવાદાસ્પદ લેખો પણ લખ્યા હતા, પરંતુ એ વેળા એ ભાજપમાં નહોતા. અત્યારે એ ભાજપમાં છે છતાં મોદી શાસનના ટીકાકાર રહ્યા છે. ઘણા કહે છે કે મોદીએ એમને મંત્રી ના બનાવ્યા એટલે એ નારાજ છે, પરંતુ ડૉ.સ્વામી તો અગાઉ બબ્બે વાર કેન્દ્રમાં મંત્રી કે મંત્રી સમકક્ષ હોદ્દે રહી ચૂક્યા છે. સંઘની ઈમર્જન્સીમાં ભૂમિકા અંગે સંઘનિષ્ઠ પ્રકાશનગૃહ સુરુચિ પ્રકાશને ૧૯૯૦માં ૭૦૦ પાનાંનો હિંદીમાં એક દળદારગ્રંથ “આપતકાલીન સંઘર્ષ-ગાથા” (સંપાદક: પ્ર.ગ.સહસ્રબુદ્ધે, માણિકચન્દ્ર વાજપેયી) પ્રકાશિત કર્યો હતો. આ ગ્રંથમાં ડૉ.સ્વામી તથા ગુજરાતના મકરંદ દેસાઈ સહિતના સંઘ-જનસંઘના કાર્યકરો-નેતાઓ અને સંઘના પ્રચારકોએ વિદેશની ધરતી પર ઇન્દિરા ગાંધીના તાનાશાહી શાસન સામે લડત ચલાવ્યાનું એક અલાયદું પ્રકરણ છે. એમાં ડૉ.સ્વામીનાં જન્મે પારસી પત્ની રોક્સાના (રક્ષણા) સ્વામી પણ વિદેશની ધરતી પરની આ લડતમાં સક્રિય હોવાની વાત વિગતે રજૂ થઈ છે. ડૉ.સ્વામી એ વેળા રાજ્યસભામાં જનસંઘના સભ્ય હતા અને નાટકીય રીતે એ પ્રગટીને અલોપ થઈ ગયાની રસપ્રદ કહાણી પણ એમાં છે. ગુજરાત સહિતના જે આગેવાનો ઈમરજન્સી સામે દેશમાં પણ લડત ચલાવતા રહ્યા અને ભૂગર્ભમાં પણ લડત ચલાવનારા હતા એની નામાવલિ અને નોંધો એમાં છે. ઈમરજન્સી વિરુદ્ધ મોટી ભૂમિકા ભજવ્યાના દાવા કરનારા કેટલાકનાં નામ એમાં ભાગ્યે જ જોવા મળે છે. સંઘ-જનસંઘ-ભાજપ માટે આ ગ્રંથ અધિકૃત ગણાય. એનો અર્થ એ થયો કે સંઘ-જનસંઘ-ભાજપના નેતાઓ વિદેશની ધરતી પર ભારત સરકારની ટીકા કરે તો એ રાષ્ટ્રપ્રેમ અને કોંગ્રેસના નેતાઓ એવું કરે તો એ ભારતદ્રોહ. વાહ રે, કેવાં બેવડાં ધોરણ!
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧૨ જૂન,૨૦૨૩)

Criticism of Indian PM on Foreign Land

 વિદેશમાં મોદીની ટીકા ભારતદ્રોહ તો ઇન્દિરા સામેની જનસંઘી લડત?

અતીતથી આજ :ડૉ.હરિ દેસાઈ
• રાહુલ ગાંધીનાં યુકે કે યુએસએમાં તાજાં ઉચ્ચારણોથી ભાજપને અકળામણ
• ઈમરજન્સીમાં બ્રિટનમાં ડૉ.સ્વામી અને મકરંદ દેસાઈએ ઝુંબેશ ચલાવી’તી
• મુસ્લિમવિરોધી પત્રિકાઓ અને સંદેશાઓ સામે ચૂંટણી પંચ સાવ મૂકપ્રેક્ષક
Dr.Hari Desai writes weekly column for Gujarat Guardian Daily(Surat) and Sardar Gurjari Daily(Anand).
આજે ૧૨ જૂને જયારે અમે આ કટાર લખી રહ્યા છીએ ત્યારે રાષ્ટ્રનાયક સરદાર પટેલના નામની માળા જપવાનું રાજકારણ ખેલાનારાઓમાંના મોટા ભાગના પણ વિસરી ગયા છે કે ૧૨ જૂન એ ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહનો નિર્ણાયક દિવસ “બારડોલી દિવસ” છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અનન્ય સાથી બેરિસ્ટર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપવાનું નિમિત્ત બન્યો હતો આ સત્યાગ્રહ. એ લડતે બ્રિટિશ શાસનને પણ ખેડૂતોની ન્યાયી માંગણીઓ સ્વીકારવાની ફરજ પાડી હતી. સત્તારોહણ માટે કોઈપણ સીડી કામ આવે એનો ઉપયોગ કરીને ભૂલી જવાનો આ જમાનો છે. જે લોકો અતીતના સહારે જ રાજકારણ ખેલતા રહ્યા છે એમને તો આ બરાબર લાગુ પડે છે.આજકાલ દેશ અને વિદેશમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ.ફિલ. થયેલા ભારતીય લોકસભાના “ડિસક્વોલિફાઈડ” એમ.પી. રાહુલ ગાંધીની ખૂબ ચર્ચા છે. એમનાં નિવેદનો અને વ્યક્તિગત જીવન તેમ જ એમણે ના કરેલાં નિવેદનો પણ વોટ્સએપ યુનિવર્સિટીમાં ખૂબ ચગાવવામાં આવે છે. સત્તારૂઢ ભાજપના નેતાઓને રાહુલવિરોધી નિવેદનો કરવા માટે સરપાવ મળતો હોય એવો માહોલ હોવાને કારણે એ મુદ્દે જાણે કે રીતસર સ્પર્ધા કે ચડસાચડસી ચાલી રહી છે. રાહુલને એમની યુનિવર્સિટી કેમ્બ્રિજમાં ભાષણ કરવા માટે બોલાવ્યા ત્યારથી લઈને હમણાં અમેરિકી યુનિવર્સિટી સ્ટેનફર્ડમાં વ્યાખ્યાન આપવા માટે તેડાવ્યા ત્યારે તેમણે કરેલાં અને નહીં કરેલાં નિવેદનોને વિકૃત કરીને જૂઠાણાં ફેલાવનારી પેલી વોટ્સએપ યુનિવર્સિટીમાં ખૂબ ચલાવાતાં રહ્યાં. હિમાચલ પ્રદેશ પછી કર્ણાટકમાં ભાજપ કનેથી કોંગ્રેસે સત્તા છીનવી લીધી અને હવે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ કોંગ્રેસ ફરી સત્તામાં આવે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપની શી વલે થાય એનો સન્નિપાત એની નેતાગીરીમાં વર્તાય છે. રાહુલ બધાનું ટાર્ગેટ છે. રાહુલનો પિતરાઈ ફિરોઝવરુણ ગાંધી ભાજપનો સાંસદ છે છતાં એ પરિવારવાદમાં ના ગણાય,પણ રાહુલ ગાંધી પરિવારવાદનું પ્રમાણ લેખવામાં આવે એવાં ભાજપી ગણિત મંડાય છે. સદગત વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના આ બંને પૌત્રોમાં ફિરોઝવરુણ હિંદુ લેખાય અને રાહુલને મુસ્લિમ કે ખ્રિસ્તી ગણાવવામાં આવે ત્યારે બુદ્ધિનું દેવાળું કાઢવામાં આવતું હોય એવું વર્તાય છે. ઓછામાં પૂરું, દેશ-વિદેશમાં જૂઠાણાં ફેલાવનારી પેલી વોટ્સએપ યુનિવર્સિટી ભારતના મુસ્લિમો વિરુદ્ધ અને રાહુલને મુસ્લિમ ગણાવવા સહિતનો અપપ્રચાર કરે છે છતાં કમ સે કમ ભારતમાં સરકાર કે ચૂંટણી પંચ ભાગ્યેજ કોઈ પગલાં લે છે.
મોદીની ટીકા ના થાય !
ભાજપની નેતાગીરી અને ભાજપીસેનાને એવું પઢાવવામાં આવતું લાગે છે કે વિદેશની ધરતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા એ ભારત વિરુદ્ધનું કૃત્ય ગણાય. મોદી તો અવતારી પુરુષ અને એમની સરકારની ટીકા તે વળી થતી હશે? હકીકતમાં દેશની સુપ્રીમ કોર્ટ વડાપ્રધાન કે તેમની સરકારની ટીકાને દેશદ્રોહ માનતી નથી. ભક્તો તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પણ ટ્રોલ કરવામાં પાછા પડતા નથી. જયારે મોદી સરકારના કાયદામંત્રી પણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો વિશે અણછાજતી ટિપ્પણો કરતા હોય ત્યારે એમના કાર્યકરોને તો વારે જ કોણ? સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચેના શીતયુદ્ધને શાંત પાડવા માટે મોદીએ કાયદામંત્રી બદલી નાંખવા પડ્યા. આમ છતાં, અવતારી પુરુષ લેખતા મહાનુભાવનો કરિશ્મા કર્ણાટકમાં ઓસરી ગયો અને રાહુલ ગાંધીની પદયાત્રા ફળી એ પછી તો ઘણાને સ્વપ્નમાં પણ રાહુલ જ ડોકાયા કરે છે. કોંગ્રેસના નેતાઓને તોડીને ભાજપમાં લાવવાનું ઓપરેશન લોટસ હવે ઉલટી દિશા પકડી રહ્યું છે. ભાજપના સંઘનિષ્ઠ નેતાઓ કોંગ્રેસમાં જોડાવા માંડ્યા છે. એટલે સન્નિપાત વધવો સ્વાભાવિક છે. અપવાદ ગુજરાત જ છે. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ તો મોદીને ભારત ગણાવવા માંડ્યા છે ત્યારે કોંગ્રેસના ઇન્દિરાયુગના અધ્યક્ષ દેવકાંત બરુઆનું સ્મરણ થવું સ્વાભાવિક છે. બરુઆએ “ઇન્દિરા ઈઝ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા ઈઝ ઇન્દિરા”નો રાગ આલાપવાનો ચાલુ કર્યો ત્યારે કોંગ્રેસ અને ઇન્દિરા બંનેનો પરાજય થયો હતો ! જે ઈમરજન્સી અંગે મોદી છાસવારે કોંગ્રેસ અને ઇન્દિરા ગાંધીની ટીકા કરે છે એ જ માર્ગે એ પોતે આગળ વધી રહ્યાનું તો સદગત ભાજપી નેતા અને મોદીના પુરોગામી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કહેતા રહ્યા હતા. એમણે મોદીના શાસનમાં “અઘોષિત ઈમરજન્સી” જેવો શબ્દપ્રયોગ કર્યો હતો.
ઈમરજન્સીમાં સંઘ-જનસંઘ
વિદેશની ધરતી પર કોંગ્રેસી શાસનની ટીકા કરવાનું સૌભાગ્ય તો વર્તમાન વડાપ્રધાન મોદીને, કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીને વિદેશી ધરતી પર ભાજપી શાસનની ટીકા કરવાનો અવસર મળ્યો, એ પહેલાં મળેલું છે. મોદી કદાચ એ વિસરી જતા હશે કે ઈમર્જન્સીમાં એમની ભૂમિકા જનસંઘના સાંસદ ડૉ.સુબ્રમણિયન સ્વામીને એરપોર્ટ પર તેડવા જવા અને ભાવનગર કોઈકને મળવા લઇ જવાની સેવા બજાવવા જેવી હોવાનું ડૉ.સ્વામી પણ નોંધતા રહ્યા છે. ડૉ.સ્વામી એ વેળા ઈમરજન્સી વિરોધી ચળવળના વરિષ્ઠ પ્રચારક માધવરાવ મૂળેપ્રેરિત કામગીરીના હીરો હતા. દેશમાં અને વિદેશમાં ઇન્દિરા ગાંધીના એ ૧૯૭૫-૭૭ના ઈમરજન્સી કાળ સામેના જંગમાં એ અગ્રણી ભૂમિકા નિભાવનાર હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઈમર્જન્સીમાં ભૂમિકા અંગે વર્ષ ૨૦૦૦માં ડૉ.સ્વામીએ ચેન્નઈના “ધ હિંદુ”અને “ફ્રન્ટલાઈન”માં થોડા વિવાદાસ્પદ લેખો પણ લખ્યા હતા, પરંતુ એ વેળા એ ભાજપમાં નહોતા. અત્યારે એ ભાજપમાં છે છતાં મોદી શાસનના ટીકાકાર રહ્યા છે. ઘણા કહે છે કે મોદીએ એમને મંત્રી ના બનાવ્યા એટલે એ નારાજ છે, પરંતુ ડૉ.સ્વામી તો અગાઉ બબ્બે વાર કેન્દ્રમાં મંત્રી કે મંત્રી સમકક્ષ હોદ્દે રહી ચૂક્યા છે. સંઘની ઈમર્જન્સીમાં ભૂમિકા અંગે સંઘનિષ્ઠ પ્રકાશનગૃહ સુરુચિ પ્રકાશને ૧૯૯૦માં ૭૦૦ પાનાંનો હિંદીમાં એક દળદારગ્રંથ “આપતકાલીન સંઘર્ષ-ગાથા” (સંપાદક: પ્ર.ગ.સહસ્રબુદ્ધે, માણિકચન્દ્ર વાજપેયી) પ્રકાશિત કર્યો હતો. આ ગ્રંથમાં ડૉ.સ્વામી તથા ગુજરાતના મકરંદ દેસાઈ સહિતના સંઘ-જનસંઘના કાર્યકરો-નેતાઓ અને સંઘના પ્રચારકોએ વિદેશની ધરતી પર ઇન્દિરા ગાંધીના તાનાશાહી શાસન સામે લડત ચલાવ્યાનું એક અલાયદું પ્રકરણ છે. એમાં ડૉ.સ્વામીનાં જન્મે પારસી પત્ની રોક્સાના (રક્ષણા) સ્વામી પણ વિદેશની ધરતી પરની આ લડતમાં સક્રિય હોવાની વાત વિગતે રજૂ થઈ છે. ડૉ.સ્વામી એ વેળા રાજ્યસભામાં જનસંઘના સભ્ય હતા અને નાટકીય રીતે એ પ્રગટીને અલોપ થઈ ગયાની રસપ્રદ કહાણી પણ એમાં છે. ગુજરાત સહિતના જે આગેવાનો ઈમરજન્સી સામે દેશમાં પણ લડત ચલાવતા રહ્યા અને ભૂગર્ભમાં પણ લડત ચલાવનારા હતા એની નામાવલિ અને નોંધો એમાં છે. ઈમરજન્સી વિરુદ્ધ મોટી ભૂમિકા ભજવ્યાના દાવા કરનારા કેટલાકનાં નામ એમાં ભાગ્યે જ જોવા મળે છે. સંઘ-જનસંઘ-ભાજપ માટે આ ગ્રંથ અધિકૃત ગણાય. એનો અર્થ એ થયો કે સંઘ-જનસંઘ-ભાજપના નેતાઓ વિદેશની ધરતી પર ભારત સરકારની ટીકા કરે તો એ રાષ્ટ્રપ્રેમ અને કોંગ્રેસના નેતાઓ એવું કરે તો એ ભારતદ્રોહ. વાહ રે, કેવાં બેવડાં ધોરણ!
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧૨ જૂન,૨૦૨૩)

Saturday, August 29, 2020

 rashtriyanews.org

Credible News. In-depth News. Unbias News Analysis 

Team of the newsmen headed by Dr.Hari Desai, a senior journalist and Professor of Journalism and Mass Communication

Contact: +91 96242 98470  E-mail: haridesai@gmail.com

rashtriyanews.org

 rashtriyanews.org

Credible News. In-depth News. Unbias News Analysis 

Team of the newsmen headed by Dr.Hari Desai, a senior journalist and Professor of Journalism and Mass Communication

Contact: +91 96242 98470  E-mail: haridesai@gmail.com